SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રી મહાવીર કથા કરતા દધિવાહન સાથે થયું હતું:૧ મૃગાવતીનું લગ્ન વત્સદેશના કૌશાંબી નગરમાં રાજ્ય કરતા શતાનીક સાથે કરવામાં આવ્યું હતું; શિવાનું લગ્ન ઉજજયિનીના રાજા પ્રદ્યોત સાથે કરવામાં આવ્યું હતું; છાનું લગ્ન મહાવીરસ્વામીના મોટા ભાઈ નંદિવર્ધન સાથે કરવામાં આવ્યું હતું; ચેલ્લણાનું લગ્ન મગધના રાજા શ્રેણિકબિંબસાર વેરે કરવામાં આવ્યું હતું; અને સુપેદા કુમારિકાવસ્થામાં જ જૈનભિક્ષુણી થઈ ગઈ હતી. ચેટકની બહેન ત્રિશલાનું લગ્ન વૈશાલીના જ્ઞાતૃવંશીય ક્ષત્રિય સિદ્ધાર્થ સાથે કરવામાં આવ્યું હતું. આગળ જણાવી આવ્યા કે, વૈશાલીના સંયુક્ત રાજ્યમાં જ્ઞાતૃવંશીય ક્ષત્રિાનો પણ સમાવેશ થતો હતે. સિદ્ધાર્થને જૈન ગ્રંથોમાં સામાન્ય રીતે “ક્ષત્રિય સિદ્ધાર્થ' (સિદ્ધત્વે રાત્તિ) તરીકે જ ઉલ્લેખવામાં આવે છે. અને તેથી તેમની પત્ની ત્રિશલાને પણ “ક્ષત્રિયાણ ત્રિશલા' કહેવામાં આવે છે. કોઈ જગાએ રાજા સિદ્ધાર્થ” ૧. બુદ્ધ મહાવીરના સમયમાં અંગદેશમાં સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં હોય એમ લાગતું નથી. તે રાજ્ય તે જમાનામાં મગધ દેશનું ખંડિયું બની ગયું હતું. અને કાળાંતરે અંગ-મગધાઃ એ કંકસમાસથી અંગને મધ સાથે ઉલ્લેખ કરવાનું શરૂ થઈ ગયું હતું. ૨. અલાહબાદથી ૨૦ ગાઉ દૂર આવેલું આજનું કોસમ. શતાનીકનો પુત્ર સુપ્રસિદ્ધ વત્સરાજ ઉદયન, વિદેહવંશી ચેટકની પુત્રીનો પુત્ર હોવાથી “સ્વપ્નવાસવદત્તા” નાટક (અંક ૬)માં વેદેહિપુત્ર” કહેવાય છે. ૩. તેથી તેનો પુત્ર અજાતશત્રુ દેહિપુત્ર કહેવાતો હતો. ૪. આ વિગતે આવશ્યક ચૂર્ણિ (વિક્રમના આઠમા સૈકા પહેલાંની આવશ્યક ટીકા (વિ. સં. ૮૦૦ની આસપાસ) તથા હેમચંદ્રકૃત મહાવીરચરિત્રમાં મળે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy