SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તેવીસમા ભવ: પ્રિયમિત્ર ચક્રવર્તીની કથા ૫૧ યે ખંડ જીતીને પ્રિયમિત્ર રાજા ખત્રીસ હજાર રાજાએ સહિત મૂકાનગરીમાં પાછે આવ્યું. ત્યાં તેને મહારાજ્યાભિષેક કરવામાં આવ્યેા. ત્યાર બાદ મનુષ્યજીવનમાં મળી શકે તેવું તથા મળી શકે તેટલું સંપૂર્ણ સુખ ભાગવતા તે આનંદથી વિહરવા લાગ્યા. મનુષ્ય કલ્પી શકાય તેવી ઉત્કૃષ્ટ માત્રાનું ચક્રવર્તીસુખ કપ્યું તે ખરું; પરંતુ તે સુખની કલ્પનાની સાથે જ તેને માલૂમ પણ પડતું ગયું કે, એ સુખને ગમે તેટલું સારું કહપવામાં આવે, તે પણ આ જગતમાં મનુષ્યશરીર જ્યાં સુધી અત્યારે છે તેવું રહે, ત્યાં સુધી એ સુખની મર્યાદા પણુ કપવી જ પડવાની, એ સુખનેા પ્રતિસ્પર્ધી ભલે કાઈ ન કપીએ; પરંતુ એ સુખ જે પદાર્થો ઉપર અવલંબિત છે, તે પદાર્થ કાયમ રહેનારા છે? ચક્રવર્તીનું શરીર પોતે જ કાયમ રહેનારું છે? એ વિચાર આવતાં જ મનુષ્યનું મન તે ભવ્ય અને રમ્ય કલ્પનામાંથી ખાટું થઈ પાછું ફરી જાય છે. સામાન્ય વિચારવંત માણસની જ એ દશા થાય, તે। જે ચક્રવતી એ સુખભાર ઉઠાવી રહ્યો છે, તેને એ વિચાર આવતાં શું થતું હશે? પ્રિયમિત્ર રાજા એક દિવસ પેાતાના મહેલની અગાસી ઉપર નિરાંતે ફરતે હતા. તેણે આકાશ તરફ નજર કરતાં એક વિચિત્ર આકારનું વાદળ જોયું. તે વાદળની આકૃતિની વિચિત્રતા તે ધારી-ધારીને જોતા હતા, તેવામાં તે તે છિન્નભિન્ન થવા લાગ્યું, અને થાડા વખતમાં તે તે હતું - ન-હેતું થઈ ગયું. એ વસ્તુ લક્ષમાં આવતાં જ પ્રિયમિત્ર ચમકી ઊઠયો. તેને વિચાર આવવા લાગ્યા કે, હમણાં જ તે વાદળ પેાતાની વિચિત્ર આકૃતિથી – રૂપ – રંગથી — મારું ધ્યાન ખેચતું હતું, ~~ • તે જોતજોતામાં જ હતું – નહતું થઈ ગયું. આ શું? એ વાદળના વિચાર ઉપરથી બીજી વસ્તુએના વિચાર ઉપર તેનું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy