SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા તેમની આજ્ઞાને અનુસરી, પરાક્રમ કર્યું જાય છે જ્યારે જ્ઞાનીઓ પાસેથી આત્માની સમજ ન પ્રાપ્ત કરનારા કેટલાય મનુષ્ય જગતમાં રિલાયા કરે છે. [આચા) ૧-૨] ૪. જેઓ મનને દૂષિત કરનારા વિષયમાં ડૂબેલા નથી, તેઓ જ સંતપુરુષોના માર્ગને અનુસરવા શક્તિમાન થાય છે. માટે તમે મનના મોહને દૂર કરી, માયા-લેભ-માન-ક્રોધ- . પ્રમાદ- કે શિથિલતાને ત્યાગ કરી, તેમજ નકામી વાતચીતપડપૂછ- કે વાતડહાપણુ વગેરે નિરર્થક પ્રવૃત્તિઓમાં વખત ગુમાવવાનું છોડી, પિતાને કલ્યાણમાં તત્પર થાઓ, ધમર્થ સાધવાની ઉત્કંઠાવાળા બને, અને તપ વગેરેમાં પ્રબળ પુરુષાર્થ દાખવો. મન, વચન અને કાયા ઉપર જેણે કાબૂ મેળવ્યો નથી, તેને માટે આત્મકલ્યાણ સહેલું નથી. [સૂત્રકૃતાંગ ૧-૨] * ૫. લોકને કામરાગથી પીડિત સમજીને તથા પિતાના પૂર્વ સંબંધેને ત્યાગ કરીને, ઉપશમયુક્ત અને બ્રહ્મચર્યમાં સ્થિત થયેલા ત્યાગી કે ગૃહસ્થ જ્ઞાની પાસેથી ધર્મને યથાર્થ જાણુને તે પ્રમાણે વર્તવું. ધર્મને સ્વીકારીને શરૂઆતથી જ સાવધાન રહેવું અને ક્યાંય આસક્ત ન થવું. દઢ એવા મહામુનિએ બધું મેહમય છે એમ સમજી, સંયમમાં જ રહેવું. બધી રીતે સંગને વટાવીને, તથા મારુ કોઈ નથી અને હું એકલો છું એમ વિચારીને, વિરત મુનિએ સંયમમાં યત્ન કરતા વિહરવું, “ધર્મ જ મારો છે, બીજું કઈ મારું નથી' એ જાતનું જિનાજ્ઞા પ્રમાણેનું અચરણ મનુષ્યમાં ઉત્કૃષ્ટવાદ કહેવાય છે. ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજીને દૃષ્ટિમાન પુરુષ પરિનિર્વાણ પામે છે. [આચા) ૧-૨] ૬. ધમને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંધરી ન રાખો . પરંતુ, પ્રાપ્ત થયેલા, મનગમતા, સુંદર ભેગપદાર્થોમાં વૈરાગ્ય પામી, લોકપ્રવાહને અનુસરવાનું છોડી દેવું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy