________________
શ્રી મહાવીરકથા
ત્રીજી રક્ષિકાએ તે દાણા એક ચેાખ્ખા કપડામાં બાંધ્યા અને રત્નના કરડિયામાં મૂકી, એશિકા નીચે સાચવી રાખ્યા; તથા દિવસમાં ત્રણ વાર તેમને સ ંભાળવા લાગી.
સૌથી નાની રાહિણીએ તે દાણા લઈ, મનમાં કાંઈક વિચાર કરી, પેાતાનાં પિયરિયાંને મેલાવીને કહ્યું કે, વર્ષાઋતુની શરૂઆતમાં જ તમે એક નાના કથારામાં આમને વાવીને ફરતી વાડ કરી સંભાળજો.
ve
પાકના સમય થતાં જ એના પાંચે છેડ ખૂબ ફૂલ્યા ફાલ્યા અને તેમાંથી નવ ઘડા ભરાય તેટલા દાણા નીકળ્યા.
ખીજે વર્ષે તે બધા દાણા પહેલાંની માફક વવરાવ્યા, તે તેમાંથી અનેક કુડવ ચેખા નીપજ્યા. એ રીતે તેણે લાગલગાટ પાંચ વર્ષ સુધી તેમનું વાવેતર કરાવ્યું, તેમાંથી અનેક ગાડાં ભરાય તેટલા દાણા નીપજ્યા.
પાંચ વર્ષ પૂરાં થયે અન્ય સાવાહે પેાતાનું કુટુંબ ક્રૂરી વાર એકઠું કર્યું, અને સૌને ઉત્તમ ખાન-પાન વડે સંતુષ્ટ કર્યાં. ત્યાર બાદ તે સૌની સમક્ષ તેણે પોતાની મેાટી પુત્રવધૂ ઝિકાને મેલાવીને, પેતે પાંચ વર્ષ પૂર્વે આપેલા પાંચ દાણા માગ્યા.
ઉન્નિકાએ કાઠારમાંથી પાંચ દાણા લાવી આપ્યા. પરંતુ રોકે તેને સેમદ દઈને પૂછ્યું ત્યારે તેણે કબૂલ કર્યું કે, મૂળ દાણા તા પાતે ફેકી દીધા છે.
તે પ્રમાણે ખીજી ભોગવતીએ પણ કબૂલ્યું કે, મૂળ દાણા તા પાતે ખાઈ ગઈ છે.
ત્રીજી રક્ષિકાએ તે જતનથી સાચવેલા મૂળ દાણા જેમના તેમ લાવીને આપ્યા.
અને છેલ્લી રાહિણીએ કહ્યું, ' તાત! એ દાણા જોઈતા હોય તે પહેલાં ગાડાં મગાવરાવા.’
૧. આઠ ખેાબાના એક કુડવ.