SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ પર વો લીધી હતી. આ વખતે ભગવાન ચંપામાં પધાર્યા ત્યારે ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા લઈ, સાલ-મહાસાહ સાથે પૃચપા ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી; તેમ જ તેનાં માતાપિતા વિઠરચશેમતીએ તથા બીજા મંત્રી વગેરે પૌરજનોએ પણ તેમને વંદના કરી. પછી ગૌતમે ધર્મોપદેશ આપ્યા. તે સાંભળી ગાગલી પ્રતિબંધ પાળે; એટલે પોતાના પુત્રને ગાદીએ બેસાડી, પિતાનાં માતાપિતા સહિત તેણે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી. પછી બધાં ગૌતમ સ્વામી સાથે પ્રભુને વંદન કરવા ચંપા તરફ ચાલ્યાં. માર્ગમાં શુભ ભાવનાથી તે પાચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન થયું ન હતું. તેથી ભગવાન મહાવીર પાસે જઈ તેમણે પેલાં પાંચને કહ્યું કે, “પ્રભુને વંદના કરે.' ત્યારે મહાવીરે ગૌતમને જણાવ્યું કે, તમે કેવળજ્ઞાનીઓની આશાતના કરે નહિ.” -કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનીનું વંદન કરવા કહેવાય નહીં! ગૌતમસ્વામીને એ જાણી નવાઈ તથા દુઃખ થયાં કે, પિતે જેમને હમણાં જ દીક્ષા આપી છે, તેઓને કેવળજ્ઞાન થઈ ગયું, અને પોતે હજુ કેવળજ્ઞાન વિના જ રહ્યા. તેમને એવી અધીરાઈ પણ આવી કે, હું આ ભવમાં સિહ જ નહિ થાઉં કે શું? નજીક આવેલું મારું ગાળવા રાજગૃહમાં પધારેલા ભગવાને ગૌતમના મનમાં રહેતે ખેદ જાણું લઈ, લોકે વીખરાઈ ગયા બાદ તેમને સંબોધી કહ્યું: - “હે ગૌતમ! તું મારી સાથે ઘણુ કાળ સુધી નેહથી બંધાયેલ છે. હે ગૌતમ! તે ઘણા લાંબા કાળથી મારી સ્તુતિ કરેલી છે; હે ગૌતમ! તે ઘણા લાંબા કાળથી મારી સેવા કરી છે; હે ગૌતમ તું ઘણા લાંબા કાળથી મને અનુસર્યો છે. હે ગૌતમ! તું ઘણા લાંબા કાળથી મારી સાથે અનુકૂળપણે વર્તે છે. તે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy