SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ થી મહાવીર કથા પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, અને મારા કુટુંબને પણ આધાર છું. આ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિ પ્રમાણે રહી નહીં શકું. તેથી કરીને આ બધે ભાર હું મારા જ્યેષ્ઠ પુત્રને સોંપું અને તેની અનુમતિ લઈને કેટલાક સંનિવેશમાં (અમે) જ્ઞાતુક્ષત્રિયોના મહાલ્લામાં આવેલી પૌષધશાળામાં ભગવાન મહાવીર પાસે સ્વીકારેલી ધર્મપ્રાપ્તિ અનુસાર રહે. તેણે તે વિચારને અમલ પણ તરત કરી લીધે; અને હવે તે પૌષધશાળામાં જ રહેવા લાગ્યો. ત્યાં આવી, તેણે ઉપાસકની અગિયાર પ્રતિમાઓનો સ્વીકાર કર્યો. અને તેમને યથાવિધિ આરાધી. તે પ્રતિમાઓ આ પ્રમાણે છે: ૧. દર્શનપ્રતિમા (એટલે કે સમ્યકત્વના એક પણ અતિચારને લાગવા દીધા સિવાય, એક માસ સુધી સમ્યક્ત્વનું બરાબર પાલન કરવું). ૨. વતપ્રતિમા (અર્થાત નિરતિચારપણે સ્વીકારેલાં અણુવ્રતો બે માસ સુધી પાળવાં). ૩. સામાયિક પ્રતિમા (નિરતિચારપણે સામાયિક ત્રણ માસ કરવું). ૪. પૌષધ પ્રતિમા (આઠમ–ચૌદશ-અમાસ-પૂનમના દિવસે સંપૂર્ણ પૌષધ લેવું, તથા તે પ્રમાણે ચાર માસ કરવું). ૫. કાયોત્સર્ગ પ્રતિમા (પાંચ માસ સુધી સ્થિરપણે જિનનું ધ્યાન કરવું, સ્નાન ન કરવું, રાત્રે ભોજન ન કરવું, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળવું, અને રાત્રે મર્યાદિત બ્રહ્મચર્ય પાળવું, પિતાના દોષનું નિરીક્ષણ કરવું, અને કાછડી ન ખેસવી). ૬. અબહાવર્જન પ્રતિમા (છ મહિના સુધી શંગારને ત્યાગ કરે, સ્ત્રીસંબંધને ત્યાગ કરવો, સ્ત્રી સાથે અતિપ્રસંગ ન કર ).
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy