SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાવસથા કરતા કરતા સવારને નાસ્તો કરવાને જતા. નાસ્તો કર્યા પછી, પ્રમાદને લીધે લાંબે વખત ઊંઘી ન જવાય એની સંભાળ રાખીને, ખેરના કકડા પર માથું અને પગ મૂકી છેડે વખત સૂઈ જતા અને ફરી પાછા શિલ્પશાળામાં જઈ, શિલ્પ શીખી, સ્વાધ્યાય કરતા. સાંજે સ્વાધ્યાય કરતા કરતા ઘેર જતા અને સાંજનું વાળુ કરી, રાતના પહેલા પહેરે સ્વાધ્યાય કરીને, સૂતી વખતે તે જ પ્રમાણે લાકડાનું ઓશિકું કરીને સુઈ જતા. એવી રીતે તેઓ ક્ષણમાત્રમાં વેધ કરનારા (અક્ષણવેધી) અને વાળને પણ વીંધી નાખવાની શક્તિવાળા (વાલધી) થતા.” બૌદ્ધ ગ્રંથમાં વર્ણવ્યું છે કે, એક વખત ભગવાન બુદ્ધ વિશ્વાલી પાસે મહાવનમાં કૂટાગારશાળામાં રહેતા હતા. એક દિવસ વૈશાલીમાં ભિક્ષા માગી, ભજન કરીને તેઓ મહાવનમાં પાછા ફર્યો અને એક વૃક્ષના મૂળ આગળ વિશ્રાંતિ (દિવા-વિહાર) માટે બેઠા. એટલામાં કેટલાક લિચ્છવી કુમાર ધનુષ સજજ કરીને કૂતરાનું ટોળું લઈને મહાવનમાં આમતેમ ફરતા હતા. તેમણે ભગવાનને બેઠેલા જોઈ સજ્જ કરેલાં ધનુષ નાખી દીધાં, અને કૂતરાની ટોળીને એક બાજુએ રાખી, તેઓ ભગવાન પાસે આવ્યા, અને ભગવાનને પ્રણામ કરી, બોલ્યા ચાલ્યા વગર હાથ જોડીને તેમની સેવામાં બેઠા. એટલામાં મહાનામ નામને લિચછવી મહાવનમાં આમતેમ ફરતો હતો. તેણે પેલાઓને આમ બેલ્યા ચાલ્યા વગર હાથ જેડીને બેઠેલા જોઈ કહ્યું, “ધન્ય છે! ધન્ય છે.” | મુહે પૂછયું, “મહાનામ! “ધન્ય છે! ધન્ય છે!” એમ તું કેમ બોલ્યા?” મહાનામે પ્રણામ કરી જવાબ આપ્યા, ભદત! આ પિછવી કુમારે કઠોર અને અનાડી છે. એમના ઘરમાં જે કંઈ ખાવાનું ભેટ આવે તે પછી શેરડી હોય, બાર હય, વડું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy