SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધર્મકથાઓ તે અમારાથી સાંભળી પણ ન શકાય. પણ જો તારી ઈચ્છા હોય તે અમે તને કેવળીએ જણાવેલા ધર્મનો ઉપદેશ કરીએ.” પિટ્ટિલાએ તેમ કરવાની ઈચ્છા જણાવતાં, તે શ્રમણીઓએ તેને શ્રમણે પાસિકાને ધર્મ કહી સંભળાવ્યું. પિફિલાએ તેને સમજીને તેને સ્વીકાર કર્યો. હવેથી શ્રાવિકા ધર્મને પાળતી પિહિલા કોઈ સંત કે સતી પિતાને ત્યાં આવી ચડે તે ખૂબ આદરથી ચગ્ય ભિક્ષા આપતી સુખેથી રહે છે. એક વાર પિટ્ટિલાને વિચાર આવ્યો કે હું મારા ચિત્તની શુદ્ધિ માટે હંમેશાં તે સુવતા આર્યા પાસે રહું તે ઠીક. તે માટે તે અમાત્ય તેટલિપુત્રની અનુમતિ લેવા ગઈ અમાત્યે કહ્યું :– “તું આર્યાની અંતેવાસિની થયા બાદ જ્યારે કાળ કરીશ ત્યારે જરૂર કઈ સદ્ગતિમાં જઈશ. ત્યાંથી તું આવીને મને બાધ આપવાની કબૂલાત આપે તે હું તને આર્મીઓની અંતેવાસિની થવાની રજા આપું.” પદિલાએ તેની તે વાત સ્વીકારી. ત્યાર બાદ અમાત્ય અને પેદિલા બંને સુવ્રતા આર્યા પાસે ગયાં. પિફ્રિલાને આગળ કરીને અમાત્યે તે આર્યોને કહ્યું – “હે દેવાનુપ્રિયે ! આ પિટ્ટિલા મારી સ્ત્રી છે. તે પિતાની ચિત્તશુદ્ધિ માટે તમારી સહવાસિની થવા ઈચ્છે છે. તે હું તમને આ શિષ્યાની ભિક્ષા આપું છું, તેને તમે સ્વીકાર કરો.” આર્યોએ તેને સ્વીકારીને તથા પ્રવ્રજિત કરીને પિતાના સંઘમાં રાખી. તે પાટિલા અગિયાર અંગેને ભણી અને ઉગ્ર સંયમ તથા તપ આચરતી આચરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy