SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨: પાણી ગધ ! અને કેવી એની હિમ કરતાંયે વધારે શીતલતા ! હું તે તેને ઉદકરતન કહું છું.” વખાણ કરતાં કરતાં રાજાએ પાણિયારાને પૂછ્યું કે “ આ પાણી તે કયાંથી મેળવ્યું? પાણિયારો બેલ્યો – “મહારાજ પાણી સુબુદ્ધિને ત્યાંથી આવેલું છે.” રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછયું – “હે દેવાનુપ્રિય ! તું આવું સરસ પાણી ક્યાંથી લા ?” સુબુદ્ધિએ જવાબ આપે – “મહારાજ ! એ પાણી પિલી ગંધાતી ખાઈનું જ છે.” રાજાએ વિમય સાથે પૂછયું કે, “શું આ પેલી ગંદી ખાઈનું પાપ છે?” સુબુદ્ધિ બે – “મહારાજ ! એ તેનું જ પાણી છે. જિનભગવાને કહ્યું છે કે વસ્તુમાત્ર પરિણમનશીલ છે. જ્યારે તમે ભેજનનાં વખાણ ક્યાં અને પાણીની નિંદા કરી, ત્યારે મેં તમને જિનભગવાનને સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરેલ; પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ. તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રવેગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો.” આમ થવા છતાં રાજાને સુબુદ્ધિ ઉપર વિશ્વાસ ન આવ્યું. તેથી તેણે પિતાની દેખરેખ નીચે, કોઈથી ફેડી ન શકાય તેવાં ખાસ અંગત માણસેદ્વારા એ પાણી મંગાવી સુબુદ્ધિના કહેવા પ્રમાણે એ પ્રગ ફરી કરી જોયે. ત્યાર બાદ તેને પાકી ખાતરી થઈ કે સુબુદ્ધિનું કહેવું પૂરેપૂરું ખરું છે. તેણે ફરી વાર સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું કે વસ્તુના સ્વરૂપને લગતે આ સત્ય સિદ્ધાંત તે ક્યાંથી મેળ ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy