SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ • અત્તરપત્તિનિરાસ: • निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषाऽऽवरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्याऽर्थान्तराऽऽपत्तेः । तादृशजात्यङ्गीकारे तु निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषावरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्या = निःशेषहीयमानस्वर्णमलवृत्तेः छद्मस्थगतरागादिदोष-ज्ञानावरणादिकर्मोभयानुगताया औपाधिकत्वजातेः सिद्धया अर्थान्तरापत्तेः = अनभिमताऽर्थसिद्धिलक्षणाऽर्थान्तरदोषप्रसङ्गात् । न हि स्याद्वादिनामपि काचित् स्वर्णमलरागादिदोषज्ञानावरणादिसाधारणजातिः सम्मता; तथापि निरुक्ताऽनुमानात्तत्सिद्ध्या ‘विनायकं प्रकुर्वाणो તરીકે પૃથફ કરાયેલ વ્યક્તિનું ગ્રહણ કર્યા વગર જ માત્ર “ક્વચિત્' પદના ગ્રહણથી અન્ય આત્માઓથી વ્યાવૃત્ત = ભિન્ન આત્મામાં બાધ-અસિદ્ધિ દોષનું અમે આપાદન કરીએ છીએ. આવું કરવામાં પક્ષનો ઉલ્લેખ સાધ્યના કે સાધ્યાભાવના આશ્રય તરીકે નથી કરેલ પરંતુ વીતરાગ-જિનેશ્વરગતત્વ રૂપે અને છબસ્થજીવગતત્વરૂપે દોષ-આવરણનો પક્ષ તરીકે નિર્દેશ કરેલ છે. માટે જૈનોને બાધ અને અસિદ્ધિ દોષનું આપાદન કરનારા અમે તૈયાયિકો બૌદ્ધદર્શન પ્રવેશ નામના દૂષણનો શિકાર બનતા નથી. દલીલ:- અમે નિઃશેષતાનિપ્રતિયોગિત્વને સાધ્ય નથી માનતા. પરંતુ નિઃશેષહાનિપ્રતિયોગીજાતીયત્વને સાધ્ય માનીએ છીએ. તથા સંપ્રતિપન્ન = વાદી-પ્રતિવાદીઉભયસ્વીકૃત સુવર્ણમલને ઉદાહરણ બનાવશું. તેથી બાધ કે અસિદ્ધિ દોષને અવકાશ નહિ રહે. કેમ કે આ રીતે કરવામાં હવે અનુમાન પ્રયોગ એવો થશે કે “દોષ અને આવરણ (= પક્ષ) નિઃશેષાનિપ્રતિયોગીના સજાતીય છે, કારણ કે તેઓ તરતમભાવવાળી હાનિના પ્રતિયોગી છે. જેમ કે ઉભયસંમત સુવર્ણમલ. પ્રતિયોગિત્વ એ પ્રત્યેકવ્યક્તિવૃત્તિ ગુણધર્મ છે. જ્યારે પ્રતિયોગિજાતીયત્વ તો વિવક્ષિત પ્રતિયોગીને સમાનજાતીય તમામમાં રહેનાર ગુણધર્મ છે. તેથી નિઃશેષતાનિપ્રતિયોગિજાતીયત્વ તો સઘળા દોષ અને સઘળા આવરણમાં રહેશે. છદ્મસ્થ જીવના દોષ-આવરણને પક્ષ બનાવો તો પણ બાધ કે અસિદ્ધિ બેમાંથી એક પણ દોષ નહિ આવે. તે આ રીતે - સુવર્ણમલ નિઃશેષહાનિપ્રતિયોગી છે, કેમ કે તેનો સંપૂર્ણતયા ઉચ્છેદ થાય છે. છબસ્થજીવના દોષ-આવરણ સુવર્ણમલના સમાન જાતીય હોવાથી પક્ષમાં નિઃશેષહાનિપ્રતિયોગીસમાનજાતીયત્વ સ્વરૂપ સાથે રહે છે. માટે બાધ દોષ લાગુ નથી પડતો. તેમ જ તેમાં તારતમ્યભાવવાળી હાનિની પ્રતિયોગિતા તો કાર્ય દ્વારા પ્રસિદ્ધ જ છે. માટે હેતુ પણ પક્ષમાં રહેવાથી સ્વરૂપ અસિદ્ધિ દોષ નથી આવતો. છદ્મસ્થ જીવ સર્વજ્ઞ ન હોવાથી તેમાં દોષ અને આવરણની સિદ્ધિ થાય છે. માટે પક્ષની અસિદ્ધિ = આશ્રયાસિદ્ધિ દોષની પણ કોઈ સંભાવના રહેતી નથી. છે અર્થાન્તર દોષ પ્રસંગ છે નિરાકરણ :- આ રીતે સાધ્યકોટિમાં તાદશ જાતીયત્વનો પ્રવેશ કરવા દ્વારા બાધ અને અસિદ્ધિ દોષ જરૂર દૂર થઈ જશે. પરંતુ આવું કરવા જતાં તમારે જૈનોને નિઃશેષહાનિના પ્રતિયોગી સુવર્ણમલ અને છદ્મસ્થજીવના રાગાદિદોષ તથા જ્ઞાનાવરણાદિકર્મમાં સાધારણ એવી ઔપાધિત્વ જાતિ સિદ્ધ થવાની આપત્તિ આવશે. મતલબ એ છે કે પ્રસ્તુતમાં જૈનો દ્વારા મૂળ વાત એ ચાલી રહેલ છે કે દોષ અને આવરણનો સંપૂર્ણતયા ઉચ્છેદ થાય છે. તથા તેની સિદ્ધિ માટે પૂર્વે અનુમાન જૈનો દ્વારા રજૂ કરવામાં આવ્યું. પરંતુ તેમાં બાધ-અસિદ્ધિ દોષ હોવાથી જાતીયત્વનો સાધ્યકોટિમાં પ્રવેશ કરવાનો પરિષ્કાર જૈનો દ્વારા કરવામાં આવ્યો. પરંતુ આ પરિષ્કારથી તો સુવર્ણમલ અને દોષ-આવરણ ઉભયમાં અનુગત જાતિ સિદ્ધ થાય છે. “દોષ અને આવરણનો સંપૂર્ણતયા ઉચ્છેદ તો અસિદ્ધ જ રહે છે. દોષ-આવરણ સુવર્ણમલને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy