SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 29 द्वात्रिंशिका • આ અમૃત છે. લો, ચાખો • મધ્યસ્થતા ધરાવતા ગ્રંથકારશ્રી તેઓશ્રીને “મહર્ષિ” શબ્દથી સંબોધે છે. આ રીતે સત્યનિષ્ઠા, ઉદારતા અને મધ્યસ્થતાની પરાકાષ્ઠા મહોપાધ્યાયજીમાં જોવા મળે છે. # (૨૧) મિત્રા-જાત્રીસી : ટૂંકસાર જે મિત્રા દૃષ્ટિમાં દર્શન = તત્ત્વબોધ તૃણાગ્નિકણતુલ્ય અત્યંત મંદ હોય છે. પૂર્વે જીવ ઓઘદૃષ્ટિમાં હતો. તે હવે યોગદષ્ટિમાં પ્રવેશ્યો છે. અહીં તેનામાં આત્મગુણરુચિ પ્રગટે છે. ભોગસુખમાં તેને કંટાળો આવે છે. તેને યોગના અંગ રૂપે “યમ” મળેલ હોય છે. કષ્ટ વેઠીને પણ તે પ્રભુભક્તિ અને ગુરુસેવા પ્રેમથી કરે છે. તેવા જીવોને આચારભ્રષ્ટ કે પાપી જીવો પર પણ દ્વેષ થતો નથી. (ગાથા.૧) અહિંસા-સત્ય વગેરે પાંચ યમને આવો જીવ દેશ-કાળ વગેરેમાં છૂટછાટ વિના સંપૂર્ણપણે સ્વીકારે છે. આથી તેના માટે યમ સાર્વભૌમ = મહાવ્રત બને છે. (ગાથા.૨) ઔષધિમાં અમૃત મુખ્ય છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે તેમ જિનશાસનની અંદર, ગુણોમાં મુખ્ય સાધુનો સમાગમ મનાય છે. જેમ નાવ વિના મહાસાગર તરી ન શકાય, તેમ સાધુ-સમાગમ વિના ઉત્તમ યોગ મેળવી શકાતો નથી. મિત્રાદષ્ટિમાં સદ્યગાવંચક યોગની મુખ્યતા છે. માટે સાધક અહોભાવથી ગુણાનુરાગ દ્વારા સુસાધુના આલંબને યથાર્થ ગુણસ્થાનક મળવીને અંતે પરમાનંદને પ્રાપ્ત કરે છે. (ગાથા.૩૦-૩૨) આમ મિત્રાદષ્ટિવાળા જીવનો આત્મ-વિકાસ આ એકવીસમી બત્રીસીમાં નિરૂપિત કરાયેલ છે. # (૨૨) તારાદિત્રય-બત્રીસી : ટૂંકસાર ક તારા નામની બીજી યોગદષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ થોડો વિકસિત સ્પષ્ટ બોધ હોય છે કે જેને શાસ્ત્રકારોએ છાણના અગ્નિના કણની ઉપમા આપી છે. યમ વગેરે આઠ યોગાંગમાંથી નિયમ’ નો અહીં લાભ થાય છે. ખેદ વગેરે આઠ દોષમાંથી “ઉદ્ધગ” નામનો બીજો દોષ અહીં રવાના થાય છે. અષ વગેરે આઠ ગુણોમાંથી તત્ત્વવિષયક “જિજ્ઞાસા' અહીં પ્રગટે છે. (ગાથા.૧) નિયમમાં પાંચ વસ્તુનો સમાવેશ થાય છે : શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન. બીજી બલા દૃષ્ટિમાં બોધ દઢ હોય છે અને તે સાધનાપ્રયોગસમય સુધી ટકે છે. તે તત્ત્વબોધ લાકડાના અગ્નિકણના ઉદ્યોત સમાન હોય છે. તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે તત્ત્વશ્રવણની પ્રકૃષ્ટ ઈચ્છાસ્વરૂપ ગુણ અહીં પ્રગટે છે. ધર્મસાધના દરમ્યાન ક્ષેપદોષ (= મનની બીજે જવાની પ્રવૃત્તિ) રવાના થાય છે. આવા જીવો સ્થિર આસને સુખાકારિતાથી = ઉદ્વેગ વિના લાંબો સમય રહી શકે છે. (ગાથા.૧૦) બલાદૃષ્ટિવાળા જીવને આસન સિદ્ધ થાય છે. ચોથી દીપ્રાદેષ્ટિમાં પ્રાણાયામ નામનો યોગ હોય છે. આવા જીવો અશાંતિ-ઉકળાટ વિનાના અર્થાત પ્રશાંતવાહિતાસભર હોવાથી તેમનું મન યોગસાધાનામાંથી ઉઠી જતું નથી. અર્થાત્ ઉત્થાનદોષ તેમને નડતો નથી. આવા જીવો આદરથી ધર્મતત્ત્વનું શ્રવણ કરે છે. પરંતુ સૂક્ષ્મબોધ ન થવાથી તેના પરમાર્થ - ગૂઢાર્થ સુધી તેઓ પહોંચી શકતા નથી. (ગાથા.૧૬). તત્ત્વશ્રવણથી ગુરુદેવ ઉપર તીવ્ર ભક્તિ પ્રગટે છે. તેના દ્વારા રાગાદિ ઘટવાથી વીતરાગ પરમાત્માની અહોભાવપૂર્વક અંતઃકરણમાં સ્થાપના થાય છે. તેના સ્મરણ - ચિંતન – ધ્યાન તદાકારતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy