SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 26 • આ અમૃત છે. લો, ચાખો • द्वात्रिंशिका અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ગ્રંથકારશ્રીએ ભગવનુગ્રહ અંગે ખાસ કરીને પાતંજલ મતનું નિરૂપણ અને સમીક્ષણ કરી જૈન દર્શનમાં ભગવનુગ્રહ કેવા સ્વરૂપે માન્ય છે ? તેનું સચોટ નિરૂપણ ૧૬મી બત્રીસીમાં કરેલ છે. મહત્ત્વપૂર્ણ બાબતો – જેમ રૂપ એ અંધ વ્યક્તિનો વિષય નથી તેમ આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થો પણ છદ્મસ્થ જીવનો પ્રત્યક્ષ વિષય બની ન શકે. આથી આ વિશે શાસ્ત્ર મુજબ મધ્યસ્થ ભાવથી ઊહાપોહપૂર્વક ન્યાયસંગત રીતે વિચારણા કરવી જરૂરી છે. બાકી તેમાં એકલો તર્ક આંધળો છે અને એકલા શાસ્ત્રો પણ પાંગળા છે. કારણ કે શાસ્ત્રમાં પણ જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી વાતો કહેલી જોવા મળે છે. તેથી યુક્તિ અને શાસ્ત્ર બન્નેનો સમન્વય કરવો પડે. માટે તાત્પર્યતઃ શાસ્ત્રઅવિરોધી યુક્તિથી જે ધર્મોપદેશને પકડે છે તે જ ધર્મજ્ઞ બની શકે. પરમાર્થથી શાસ્ત્રના આધારે સ્યાદ્વાદન્યાયથી સંગત એવું આચરણ કરવું એ જ ઈશ્વરઅનુગ્રહ છે, નહિ કે ભગવાન ઊંચકીને કે આદેશ કરીને કોઈને દેવલોકમાં મૂકી દે એવો અનુગ્રહ. (ગાથા.૭) ન આપવા લાયક એવો દર્શન-જ્ઞાન-ચારિત્રમય મોક્ષમાર્ગ તો જિનેશ્વરોએ આપેલ જ છે. આ જ તેમનો અનુગ્રહ છે. માટે વર્તમાનમાં અનુકૂળ સંયોગમાં પણ શક્તિ મુજબ જિનેશ્વરનો ધર્મ ન આચરતો અને આવતા ભવમાં ચારિત્રાદિ ધર્મને સીમંધરસ્વામી ભગવાન વગેરે પાસેથી મેળવવાની ભાવના રાખતો જીવ ધર્મને કેવી રીતે મેળવે ? એ તો માત્ર શેખચલ્લીના તરંગ જ કહી શકાય. માટે ભગવાનનો અનુગ્રહ માનતા સાધકોએ પ્રભુના ગુણોના રાગપૂર્વક પરમાનંદથી પરિપ્લાવિત હૃદયે સાધના કરવી જોઈએ. આ રીતે ૧૬મી બત્રીસી પૂર્ણ કરેલ છે. (ગાથા. ૨૫ થી ૩૨) * (૧૦) દૈવ-પુરુષકાર બત્રીસી - ટૂંકસાર નસીબ બળવાન કે પુરુષાર્થ બળવાન ? આ સમસ્યાનું સચોટ સમાધાન મેળવવા માટે સદીઓથી લાખો-કરોડો લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર આસ્તિક જ નહિ, નાસ્તિક લોકોના મનમાં પણ આ સમસ્યા અવાર નવાર ઊભી થતી હોય છે. કહેવાતા નાસ્તિક લોકો પણ ‘Wish you best of luck,' ‘OH ! My bad luck !' વગેરે શબ્દપ્રયોગ દ્વારા જાણે-અજાણે કર્મનો તો સ્વીકાર કરતા જ હોય છે. ગ્રંથકારશ્રીએ ૧૭મી બત્રીસીમાં ઉપરોક્ત સમસ્યાનું નિશ્ચય-વ્યવહાર નયના અભિપ્રાયથી સુંદ૨ સમાધાન આપેલ છે. વાસ્તવમાં ભાગ્ય અને પુરુષાર્થ બંને સમાન બળવાળા છે. નિશ્ચય નયના મતે ભાગ્ય કે પુરુષાર્થ કે પરસ્પર અપેક્ષા વિના સ્વતંત્ર રીતે પોત-પોતાના કામ કરે છે. માટે ૧૪મા વર્ષે અકબર દિલ્હીનો બાદશાહ બન્યો તેમાં વિક્રમાદિત્ય હેમુને પરાજિત કરવા સ્વરૂપ પુરુષાર્થ મુખ્ય કારણ ગણી શકાય. તેવો પુરુષાર્થ કર્યા વિના જ અકબરનો પુત્ર શાહજહાં દિલ્હીનો બાદશાહ બન્યો તેનું મુખ્ય કારણ નસીબ ગણી શકાય. શું અકબરનું નસીબ રાજા બનાવવામાં કારણભૂત નથી ? આ પ્રશ્નના જવાબમાં નિશ્ચયનય કહેશે કે કાયમ નસીબ પુરુષાર્થની સાથે જ રહે છે. પણ એટલા માત્રથી તેને કારણ માનવાની જરૂર નથી. જે કામ કરે તે કારણ. જે પહેલેથી હાજર હોવા છતાં કાર્ય ન થાય તેવા નિષ્ક્રિય તત્ત્વનો કારણસ્થાને અભિષેક કરી ન શકાય. આ છે નિશ્ચયનયનું મંતવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy