SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • આ અમૃત છે. લો, ચાખો • 25 સમૃબંધક (તીવ્રતમ સંક્લેશથી એકવાર ચીકણાં પાપને ભવિષ્યમાં બાંધનાર) વગેરે જીવોની પૂર્વસેવા ઉપચારથી હોય છે. કારણ કે તેઓમાં તેવા પ્રકારનો સંસારનો વૈરાગ્ય હોતો નથી. (ગાથા.૨) અપુનબંધક જીવ ભદ્રક પ્રકૃતિવાળો હોવાથી શાંત અને ઉદાત્ત બને છે. અને તે ગ્રન્થિદેશની નજીક પહોંચતો જાય છે. જે ક્રોધ વગેરેથી હેરાન ન થાય તેને “શાંત” કહેવાય. જેનું અંતઃકરણ ઉમદા હોય તે ‘‘ઉદાત્ત” કહેવાય. આવો જીવ સંસારના કારણ, સ્વરૂપ અને ફળની વિચારણા કરે છે. તે આ રીતે કે “સંસારમાં જીવ કર્મથી યુક્ત છે અને સાધનાથી કર્મ ખપાવી મુક્ત થાય છે. તેથી તે નિત્યાનિત્ય છે. આમ કર્મ સંસારનું કારણ છે. સંસાર દુઃખોથી વ્યાપ્ત છે અને સ્વરૂપથી તે જન્મ-જરા-મરણમય છે. આવા સંસારનું ફળ માત્ર ક્લેશ જ છે.” આવી વિચારણા પછી જીવ સંસારના ઉચ્છેદની વિચારણા કરે છે. અને વિવિધ દર્શનોનો અને આત્મગુણોનો અભ્યાસ કરતા કરતા તેની વિચારણા ઉજ્જ્વળ બને છે. (ગાથા. ૭ થી ૧૩) * (૧૫) સમ્યગ્દષ્ટિ - બત્રીસી : ટૂંકસાર પંદરમી બત્રીસીમાં સમ્યગ્દષ્ટિ જીવનું વિસ્તારથી નિરૂપણ કરેલ છે. સમ્યગ્દર્શનના લિંગ, સમકિતપ્રાપ્તિની પ્રક્રિયા, સમ્યગ્દર્શનનો મહિમા-ફળ તથા સમકિતીની સાંસારિક પ્રવૃત્તિ બતાવ્યા બાદ સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી કરેલ છે. ત્યાર પછી અત્યંત વિસ્તારથી ગંભીરપણે શિષ્ટ લક્ષણની નવ્યન્યાયની પરિભાષાથી અહીં વિસ્તૃત મીમાંસા કરવામાં આવેલ છે. • મહત્ત્વના મુદ્દાઓ - રાગદ્વેષના અત્યંત તીવ્ર પરિણામ (= ગ્રંથિ) ને ભેદનાર સમ્યગ્દષ્ટિ કહેવાય. તે શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુ-દેવાદિની પૂજા-આ ત્રણ ચિન્હ દ્વારા ઓળખાય છે. (ગાથા.૧) ગીત-સંગીતપ્રિય યુવાનને પોતાનું અતિપ્રિય ગીત સાંભળવાની જે તાલાવેલી હોય તેના કરતાં સમકિતીની શુશ્રુષા જિનવચનશ્રવણની ઈચ્છા તીવ્ર હોય છે. દુર્લભ એવા જિનવચનને સાંભળવા તે ઝંખે છે અને રાખના પડીકા જેવા સંસારમાં તે ખેંચાતો નથી. ભોગીને સ્ત્રીનો જે રાગ હોય તેના કરતાં સમિતીને ભાવથી ચારિત્રને વિશે વધુ રાગ હોય છે. કર્મવશ કદાચ તેની પ્રવૃત્તિ ચારિત્રથી વિપરીત પણ હોય. જેમ કે ઘેબર અત્યંત પ્રિય હોય એવો બ્રાહ્મણ જંગલની મુસાફરીમાં પોતાની પાસેનું પાથેય ખૂટી જતાં બીજાએ આપેલ વાસી ભોજન પણ વાપરે. પરંતુ બ્રાહ્મણનું મન તો ઘેબર તરફ જ ખેંચાયેલું હોય છે. તેમ સમિતીનું મન તો ચારિત્ર તરફ જ ખેંચાયેલું હોય છે. વળી, સમિતી યથાશક્તિ દેવ અને ગુરુની પૂજા કરે છે. તેમાં તે પોતાનાં ભોગસુખની ખણજ પોષતો નથી. આ ત્રણ ચિહ્નો દ્વારા સમકિતીનું અનુમાન કરી શકાય. (ગાથા. ૨-૬) આ રીતે સમ્યગ્દર્શનનું અદ્ભુત નિરૂપણ આ બત્રીસીમાં કરેલ છે. • = * (૧૬) ઈશાનુગ્રહવિચાર-બત્રીસી : ટૂંકસાર દરેક આસ્તિક દર્શનકારો કોઈને કોઈ સ્વરૂપે ભગવાનના અનુગ્રહ-કરુણા-કૃપા-દયાને સ્વીકારે છે. પરંતુ ભગવાનનો અનુગ્રહ એટલે શું ? તેનું તાત્ત્વિક સ્વરૂપ શું છે ? આ અંગે વિવિધ દર્શનશાસ્ત્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy