SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ • આ અમૃત છે. લો, ચાખો • કેટલાક વિચારબિંદુઓ • મોક્ષની સાથે સંબંધ કરાવે એવી પ્રવૃત્તિને યોગ કહેવાય. (ગાથા.૧) द्वात्रिंशिका • • 23 • જીવને ચરમ પુદ્ગલપરાવર્તમાં જ યોગ મળે છે. તે મોક્ષનું અંતરંગ કારણ છે તથા મુખ્ય કારણ છે. અચરમ પુદ્ગલપરાવર્તમાં મિથ્યાત્વથી વ્યાપ્ત જીવ મોક્ષમાર્ગની સન્મુખ થતો નથી. કારણ કે અચ૨માવર્તમાં જીવ ભવાભિનંદી હોય છે, સંસારરસિક હોય છે. ધર્મ કરે તો પણ હૈયામાં લૌકિક ભાવોને જ ભવાભિનંદી જીવો પકડી રાખતા હોય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરે ગ્રન્થમાં ભવાભિનંદી જીવના લક્ષણ બતાવેલ છે કે તે (૧) ક્ષુદ્ર, (૨) લોભરતવાળો, (૩) દીન, (૪) મત્સરી, (૫) ભયભીત, (૬) શઠ, (૭) અજ્ઞાની અને (૮) નિષ્ફળ આરંભવાળો હોય છે. (ગાથા.૫) આ પ્રમાણે યોગના લક્ષણાદિનો આ બત્રીસીમાં વિસ્તારથી વિચાર કરવામાં આવેલ છે. * (૧૧) પાતંજલયોગલક્ષણ-બત્રીસી : ટૂંકસાર ગ્રંથકારશ્રી ૧૧મી ખ્રીસીમાં પાતંજલ યોગદર્શનમાન્ય યોગલક્ષણની સમીક્ષા કરે છે. ૧ થી ૧૦ શ્લોક સુધી પતંજલિ મહર્ષિનો મત દર્શાવી ૧૧-૧૨ શ્લોકમાં તેની સમીક્ષા કરેલ છે. ફરીથી પતંજલિ અને રાજમાર્તંડકાર ભોજ રાજર્ષિનો મત ૧૩ થી ૨૦ શ્લોક સુધી દર્શાવી ૨૧ મા શ્લોકથી ગ્રંથકારશ્રીએ તેની સમાલોચના કરી છે. પાતંજલમત પ્રમાણે ચિત્તના પાંચ પ્રકાર છે - ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. તેમાંથી માત્ર એકાગ્ર અને નિરુદ્ધ દશામાં જ સમાધિ = યોગ હોય છે. આ પાતંજલોની માન્યતા છે. ગ્રન્થકારશ્રીની ષ્ટિએ પાતંજલોની આ વાત બરાબર નથી. કારણ કે ઘટ બનાવવાની ક્રિયા માટીનો પિંડ બનાવવાથી શરૂ થાય છે. તેથી ત્યારથી માંડીને જ્યાં સુધી ઘટ બને નહિ ત્યાં સુધીની ક્રિયામાં અંશાત્મક ઘટ ઉત્પન્ન થાય જ છે. તે રીતે વિક્ષિપ્ત ચિત્તમાં અંશાત્મક યોગ માનીએ તો જ તેના ‘પરિણામે સંપૂર્ણ યોગ નિરુદ્ધ ચિત્તમાં પ્રગટ થાય છે' - એવું કહી શકાય. માટે વિક્ષિપ્ત ચિત્તને પણ યોગ સ્વરૂપ માનવું જોઈએ. આ નિશ્ચયનયનું તાત્પર્ય છે. આ રીતે ૧૦મી બત્રીસીમાં જૈન દર્શન મુજબ “મોક્ષનો મુખ્ય હેતુભૂત આત્મવ્યાપાર = યોગ” એવું જણાવેલ યોગનું લક્ષણ સજ્જનોને પરમાનંદ આપનારૂં છે. આમ જણાવીને ૧૧મી બત્રીસી પૂર્ણ કરેલ છે. For Private & Personal Use Only * (૧૨) પૂર્વસેવા-બત્રીસી : ટૂંકસાર યોગના લક્ષણની વિચારણા કર્યા બાદ યોગની પૂર્વસેવાની વિસ્તારથી ચર્ચા ૧૨મી બત્રીસીમાં કરેલ છે. પૂર્વસેવા એટલે પ્રાથમિક ઉપાય. પુરશ્ચરણ, આદિસેવા વગેરે પણ યોગની પૂર્વસેવાના પર્યાયવાચી નામો છે. ગ્રંથકારશ્રીએ યોગબિંદુ ગ્રંથના આધારે અહીં પાંચ પ્રકારની પૂર્વસેવા બતાવેલ છે. ગુરુપૂજન, દેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્વેષ-આ પ્રમાણે યોગની પાંચ પ્રકારે પૂર્વસેવા છે. (ગાથા.૧) માતા-પિતા-લાચાર્ય-સ્વજનો-જ્ઞાનવૃદ્ધ-વયોવૃદ્ધ વગેરે ગુરુવર્ગરૂપે સજ્જનોને માન્ય છે. તેમને ત્રણ સંધ્યા સમયે નમન કરવું, તેમની નિંદા ન સાંભળવી, તેઓ આવે તો ઉભા થવું, આસન આપવું વગેરે ગુરુપૂજન કહેવાય. (ગાથા.૨-૩) Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy