________________
“જેમ ધર્મ
આવી જ રીતે જે કાર્ય જે કાળમાં જે પ્રકારે થવાનું છે, તે કાર્ય તે કાળમાં તેવા જ પ્રકારનું થશે. એમાં ફેરફાર કરવાની કેઈની તાકાત નથી. કોઈ સ્ત્રી પુત્રીને જન્મ આપવાની છે, તે તેને પુત્રી જ થશે; નહિ કે પુત્ર. જે કંઈ નક્કી છે તે જ થશે.
કાઈ પણ કાર્યની ઉત્પત્તિ પુરુષાર્થ વિના નથી થઈ શકતી. ભોજન કરવાનો સમય થયો છે. મનુષ્યને સ્વભાવ ભજન કરવાનું છે, નિયતિ ભવિતવ્યતા પણ છે, પરંતુ મનુષ્ય ભોજન પર બેસીને જ્યાં સુધી ભોજનની ક્યિા નહિ કરે, ત્યાં સુધી તેને મોઢામાં કે પેટમાં નહિ જાય. રસોઈ રાંધ્યા વિના રંધાતી નથી. સ્નાન કર્યા વિના શરીરશુદ્ધિ થઈ શકતી નથી. ક્યું એવું કાર્ય છે કે જે પુરુષાથ વિના બને છે ?
ઉપર્યુક્ત ચાર કારણેની સાથે કર્મને ઘનિષ્ટ સંબંધ છે; બલ્ક એમ કહેવામાં આવે કે આ ચાર કારણે કમને આધીન છે, તો તેમાં કંઈ અતિશયોક્તિ નથી. આ જીવે જે જે પ્રકારનું કર્મ ઉપાર્જન કર્યું છે, તે પ્રકારે જ કાર્ય બનશે. સુખ-દુઃખને, બલ્ક પ્રત્યેક ક્રિયાને બધો આધાર - કર્મ ઉપર જ છે. આ કર્મ જ એક એવું છે કે જે બાકીનાં ચાર કારણેને લાવીને હાજર કરે છે. અર્થાત્ કર્મ-ભાગ્યનસીબ જે જે પ્રકારનું હશે, તે જ પ્રકારે કાળ, સ્વભાવ, નિયતિ અને પુરુષાર્થ બની જાય છે; પરંતુ એક વાત ખાસ છે કે, કાર્યની ઉત્પત્તિમાં પાંચ કારણેની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org