________________
૧૨૮
જૈન ધર્મ
ઉત્કૃષ્ટ ગુફલ ધ્યાનની સ્થિતિને પહોંચે છે. આ અવસ્થાને અગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે.
આ પ્રકરણના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે તેમ આ જીવ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલાં કર્મો છે. આ કર્મો રાગ-દ્વેષની ચિકાશને લીધે મન-વચન-કાયાની ક્રિયાથી લાગે છે. રાગ-દ્વેષનું પરિણામ ક્રોધ–માન-માયા–લાભ–મોહ-મત્સર એ કષાય અથવા જેને પરિપુ” કહેવામાં આવે તે છે. જેમ જેમ જીવ આ રિપુઓને દૂર કરતા જાય છે, તેમ તેમ તેની ગુણશ્રેણિ વધતી જાય છે. અને અંતમાં સર્વથા કર્મને ક્ષય-કષાયને ક્ષય થાય એટલે મુકત બને છે, અથાત્ કર્મોનાં બન્ધનથી જીવ સર્વથા મુકત થાય છે, તેનું નામ મેક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org