________________
અશુભકર્મનું જે ફળ તે પાપ. અસત્કર્મોને પાપ કહેવાય છે. જીવહિંસા કરવી, અસત્ય બોલવું, સંગ્રહ કરવો, બીજાનાં છિદ્રો = દોષ જોવા, ચાડી ચુગલી કરવી, રાગ-દ્વેષ કરવા, માયા-કપટ કરવાં, કોઈની નિંદા કરવી વગેરે પાપરૂપ કાર્યો છે.
પાપતત્ત્વમાં અસત્કાર્યો દ્વારા પ્રાપ્ત થતી અશુભ સામગ્રીઓ એટલે કે દુઃખકર ફળોનું વર્ણન છે. અશુભયોગોથી ઉત્પન્ન થતાં અશુભકર્મોનું ફળ જીવ ૮૨ પ્રકારે ભોગવે છે. તે આ પ્રમાણે છે.
જ્ઞાનાવરણીય કર્મ - જ્ઞાનને અવરોધ - આવરણ કરનાર કર્મ. જેવી રીતે વાદળાંઓથી ઢંકાયેલ સૂર્યનો પ્રકાશ સંપૂર્ણરીતે ફેલાતો નથી, તેવી રીતે કર્મના આવરણથી આચ્છાદિત આત્માનો જ્ઞાનપ્રકાશ પૂર્ણ પ્રગટ થતો નથી. તે જ્ઞાનનું આવરણ પાંચ પ્રકારનું છે.
૧.
મતિજ્ઞાનાવરણ : પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી થવાવાળું જ્ઞાન તે મતિજ્ઞાન. તેને આવરણ કરનાર કર્મ તે મતિજ્ઞાનાવરણ. શ્રુતજ્ઞાનાવરણ : શાસ્ત્ર સાંભળવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. તે શ્રુતને આવરણ કરનાર કર્મ તે શ્રુતજ્ઞાનાવરણ. અવધિજ્ઞાનાવરણ; ઇન્દ્રિયની સહાયતા વિના મર્યાદિત રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. આ જ્ઞાનને ઢાંકનાર કર્મ તે અધિજ્ઞાનાવરણ.
મન:પર્યવજ્ઞાનાવરણ : સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનોવર્ગણાના પુદ્ગલ અર્થાત્ મનોગતભાવને જેના દ્વારા જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન અને આ જ્ઞાનને અવરોધ કરનાર કર્મ તે મનઃપર્યવજ્ઞાનાવરણ. કેવલજ્ઞાનાવરણ : કેવલ = પ્રતિપૂર્ણ. જે અનુપમેય છે તે કેવલજ્ઞાન આ જ્ઞાનને તિરોહિત કરનાર કર્મ તે કેવલજ્ઞાનાવરણ.
૩.
૪.
૫.
દર્શનાવરણીય કર્મ દર્શન = સામાન્યબોધને આવરણ કરનાર કર્મ. આત્માને પ્રમેય પદાર્થોના સામાન્યબોધમાં અવરોધ ઉત્પન્ન કરનાર કર્મ તે દર્શનાવરણ. જેવી રીતે રાજાને મળવા આતુર હોય પણ દ્વારપાળ તેને અટકાવે તેવી રીતે આત્માની જોવાની શક્તિ હોવા છતાં જેના કારણે આત્મા શેય પદાર્થોને જોઈ શકતો નથી તે દર્શનાવરણીય કર્મ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
66
For Private & Personal Use Only
www.jainelibrary.org