SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ તેનો પ્રકાશ ઉષ્ણ હોય, જે બીજાને આતાપ આપે તે આતપ નામ. ૨૯. ઉદ્યોત નામ : જે કર્મના ઉદયથી જીવોનું શરીર ઉષ્ણ સ્પર્શરહિત અર્થાત્ શીત પ્રકાશયુક્ત હોય તે ઉદ્યોત નામ. ૩૦. નિર્માણ નામ : જે કર્મના ઉદયથી શરીરના મસ્તક વગેરે અંગો અને આંગળી વગેરે ઉપાંગો શરીરના પ્રતિનિયત જગ્યાએ ગોઠવાઈ જાય તે નિર્માણનામ. ૩૧. તીર્થંકર નામ : જે કર્મના ઉદયથી જીવ તીર્થંક૨ પદને પ્રાપ્ત કરે અને અપરિમિત ઐશ્વર્યનો ભોક્તા બને તે તીર્થંકરનામ. ૩૨. ત્રસ નામ : જે કર્મના ઉદયથી જીવને ત્રસકાયની પ્રાપ્તિ થાય તે ત્રસ અર્થાત્ તડકા વગેરે દુ:ખોથી ત્રાસ પામે અને છાયા વગેરે સુખના કારણે ગમનાગમન કરે તે ત્રસ નામ. ૩૩. બાદરનામ : જે કર્મના ઉદયથી જીવ બાદર અર્થાત્ સ્થૂલ પરિણામી બને છે તે બાદરનામ. ૩૪. પર્યાપ્તનામ : જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે તે પર્યાપ્તનામ. ૩૫. પ્રત્યેકનામ : પ્રત્યેક એટલે અલગ-અલગ, સ્વતંત્ર. જે કર્મના ઉદયથી એકેક જીવને એકેક શરીર હોય તે પ્રત્યેક નામ. ૩૬. સ્થિર નામ : જે કર્મના ઉદયથી શરીરના દાંત, અસ્થિ, મસ્તક, ગ્રીવા વગેરે અવયવો સ્થિર રહી શકે તે સ્થિરનામ. ૩૭. શુભ નામ : જે કર્મના ઉદયથી નાભિથી ઉપરના અવયવો શુભ હોય છે તે શુભનામ. જે કર્મના ઉદયથી જીવ ચાહે અન્ય પ્રતિ ઉપકાર કરે અથવા ન પણ કરે તો પણ સર્વજનને પ્રિય થાય તે સૌભાગ્યનામ. ૩૮. સૌભાગ્યનામ :. ૩૯. સુસ્વ૨નામ : જે કર્મના ઉદયથી જીવનો અવાજ મધુર, કર્ણપ્રિય અને સુખકારી હોય તે સુસ્વરનામ. ૪૦. આદેય નામ : આદેય = સ્વીકાર્ય. જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વમાન્ય હોય તે આદેયનામ. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૭૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy