________________
પરંતુ તેનો પ્રકાશ ઉષ્ણ હોય, જે બીજાને આતાપ આપે તે
આતપ નામ.
૨૯. ઉદ્યોત નામ : જે કર્મના ઉદયથી જીવોનું શરીર ઉષ્ણ સ્પર્શરહિત અર્થાત્ શીત પ્રકાશયુક્ત હોય તે ઉદ્યોત નામ.
૩૦. નિર્માણ નામ : જે કર્મના ઉદયથી શરીરના મસ્તક વગેરે અંગો અને આંગળી વગેરે ઉપાંગો શરીરના પ્રતિનિયત જગ્યાએ ગોઠવાઈ જાય તે નિર્માણનામ.
૩૧. તીર્થંકર નામ : જે કર્મના ઉદયથી જીવ તીર્થંક૨ પદને પ્રાપ્ત કરે અને અપરિમિત ઐશ્વર્યનો ભોક્તા બને તે તીર્થંકરનામ.
૩૨. ત્રસ નામ : જે કર્મના ઉદયથી જીવને ત્રસકાયની પ્રાપ્તિ થાય તે ત્રસ અર્થાત્ તડકા વગેરે દુ:ખોથી ત્રાસ પામે અને છાયા વગેરે સુખના કારણે ગમનાગમન કરે તે ત્રસ નામ.
૩૩.
બાદરનામ : જે કર્મના ઉદયથી જીવ બાદર અર્થાત્ સ્થૂલ પરિણામી બને છે તે બાદરનામ.
૩૪. પર્યાપ્તનામ : જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે તે પર્યાપ્તનામ.
૩૫. પ્રત્યેકનામ : પ્રત્યેક એટલે અલગ-અલગ, સ્વતંત્ર. જે કર્મના ઉદયથી એકેક જીવને એકેક શરીર હોય તે પ્રત્યેક નામ.
૩૬. સ્થિર નામ : જે કર્મના ઉદયથી શરીરના દાંત, અસ્થિ, મસ્તક, ગ્રીવા વગેરે અવયવો સ્થિર રહી શકે તે સ્થિરનામ.
૩૭. શુભ નામ : જે કર્મના ઉદયથી નાભિથી ઉપરના અવયવો શુભ હોય છે તે શુભનામ.
જે કર્મના ઉદયથી જીવ ચાહે અન્ય પ્રતિ ઉપકાર કરે અથવા ન પણ કરે તો પણ સર્વજનને પ્રિય થાય તે સૌભાગ્યનામ.
૩૮. સૌભાગ્યનામ :.
૩૯. સુસ્વ૨નામ : જે કર્મના ઉદયથી જીવનો અવાજ મધુર, કર્ણપ્રિય અને સુખકારી હોય તે સુસ્વરનામ.
૪૦. આદેય નામ : આદેય = સ્વીકાર્ય. જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વમાન્ય હોય તે આદેયનામ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org