________________
બાલાવબોધને સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં રચાયેલ શાસ્ત્રીય, તાત્ત્વિક, ધાર્મિક કે ઉપદેશાત્મક ગ્રંથોના ગુજરાતી ભાષાના ટીકાગ્રંથો કે વિવરણગ્રંથો કહીએ તો ખોટું નથી, કારણ કે જેવી રીતે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાના ગ્રંથોની વૃત્તિઓમાં શબ્દ, તેનો પર્યાય, તેનો અર્થ, ઉદાહરણ અને ઉદાહરણને સમજાવવા માટે પ્રતિ ઉદાહરણો દ્વારા અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. તેવી જ રીતે બાલાવબોધોમાં શબ્દ, અર્થ, પર્યાય અને મહત્ત્વનાં લક્ષણોની છણાવટ કરી અર્થનું વિવરણ કરવામાં આવે છે. તેથી બાલાવબોધને માત્ર અનુવાદ જ નહિ, પણ વિવરણગ્રંથ કહી શકાય.
આ પ્રમાણે જેવી રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓની પદ્ય રચનાઓને અનુસરીને રાસાઓ વગેરે ગુજરાતી પદ્ય સાહિત્ય રચાયું, તેવી રીતે તેરમી સદીના ઉત્તરાર્ધથી વિકસિત થયેલું ગુજરાતી ગદ્ય સાહિત્ય અનેક રૂપોમાં જેવાં કે વૃત્તિગ્રંથોરૂપે બાલાવબોધો, શબ્દના ભાષાટિપ્પણ સ્વરૂપે સ્તબ કો કથાસાહિત્યરૂપે ચરિત્રો વગેરે મળે છે.
ટિપ્પણો ૧. “ગુજરાતી સાહિત્ય' (મધ્યકાલીન), પ્રકરણ ૧, પૃ. ૩
એજન, પૃ. ૧ એજન, પૃ. ૪ એજન, પ્રકરણ ૩, પૃ. ૩૧ “કાવ્યાદર્શ' – પ્રભાટીકા, પરિ. ૧, શ્લોક ૧૩ “મુક્તકશૈલી', પ્રો. ડોલરરાય માંકડ, ‘શરદ' વાર્ષિક – ૧૯૩૯ પૃ. ૧૨૨-૧૨૬ મુક્તકશૈલી' પ્રો. બ. ક. ઠાકોર, “વિવરણ' પૃ. ૭, ૮ लतारासक नाम स्याद् तत्त्रेधा रासकं भवेत् । दण्डरासकमेकं तु तथा मण्डलरासकम् ।।
ગુજરાત સાહિત્યનાં સ્વરૂપો', પૃ. ૭૫ ૯. “મધ્યકાળના સાહિત્યપ્રકારો', પ્રકરણ ૭, પૃ. ૩૦૮ ૧૦. “આનંદકાવ્ય મહોદધિ', મૌક્તિક ૧ અંતર્ગત “પ્રેમલાલચ્છીરાસ',
અધિકાર ૭, પૃ. ૪૩૫ ૧૧. એજન, પૃ. ૪૩૪ ૧૨. A “આનંદકાવ્ય મહોદધિ', મૌક્તિક ૧ અંતર્ગત “પ્રેમલાલચ્છી રાસ',
અધિકાર ૩, પૃ. ૩પ૯
જે
• =
9
૦
=
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org