________________
પ્રગટ કરી દે છે એ દુઃખાયુનું લક્ષણ છે. દુઃખી જીવનનું લક્ષણ છે. જે પોતાની કાર્યક્ષમતા ગુમાવી દે છે, એ સુખી જીવન જીવી શક્તો નથી.
સુખાયુનું ચોથું લક્ષણ છે ઇન્દ્રિય બળ. ઇન્દ્રિયોનું હોવું અને એનું સક્રિય રહેવું ભાગ્યની વાત છે. ઘણા સાંભળવાની ક્ષમતા ગુમાવી દે છે, ઘણા દૃષ્ટિ ગુમાવી દે છે. આંખ અને કાન આપણી મુખ્ય ઇન્દ્રિયો છે. આંખ અને કાન વડે જ બાહ્ય જગત સાથે સંપર્ક થાય છે. આંખ અને કાન દુર્બળ થઈ જાય તો માણસ સુખનો અનુભવ ન કરી શકે. જે વ્યક્તિમાં સાંભળવાની ક્ષમતા છે, જોવાની ક્ષમતા છે અને જેની અન્ય ઇન્દ્રિયો પણ યોગ્ય રીતે કામ કરે છે, એ સુખી જીવન જીવે છે. આંખ ન હોય તો માણસ માટે જીવન ફિક્કુ થઈ જાય છે. આંખના અભાવે માણસ જે નિષ્કર્ષ કાઢે તે સાચો ન હોય. ઘણા એવા લોકો પણ છે જેમની પાસે દૃષ્ટિ હોવા છતાં રંગોનું સાચું વિશ્લેષણ કરી શક્તા નથી. દૃષ્ટિહીન માટે એમ કરવું સંભવ નથી. ઈન્દ્રિય સામર્થ્ય બહુ મોટી વાત છે. જોવા, સાંભળવા અને સ્વાદ લેવાની શક્તિના કારણે જ માણસે આટલો વિકાસ કર્યો. અમુક માણસો ઇન્દ્રિયવિહીન હોવા છતાં ઇન્દ્રિયોના અભાવની અમુક હદ સુધી પૂર્તિ કરી લે છે પણ એવા લોકો વિરલ હોય છે. મોટાભાગના માણસો ઇન્દ્રિયના અભાવમાં દુઃખી જીવન જીવે છે. અગર આપણે ઊંડાણથી વિચાર કરીશું તો જણાશે કે સુખી અને સફળ જીવનનું કોઈ સાધન છે તો એ છે ઈન્દ્રિય સંપન્નતા, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા. પંચેન્દ્રિય હોવું એ દુર્લભ વાત છે એકેન્દ્રિય જીવ પણ છે. બે ઈન્દ્રિય જીવ પણ છે. ત્રણ ઈન્દ્રિયવાળા જીવો જેમને સ્પર્શ - રસ અને થ્રાણશક્તિ મળેલી છે. એ જ રીતે ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવ છે. એની સંખ્યા અસંખ્ય છે. આખો સંસાર એનાથી ભરેલો છે પણ એમના જીવનનું કોઈ મૂલ્ય અંકાતું નથી. પ્રાણી માત્રમાં આત્મા છે પણ તેનું મૂલ્ય નથી. એનું કારણ છે પાંચેય ઇન્દ્રિયો એક સાથે પ્રાપ્ત નથી ઇન્દ્રિયોની દૃષ્ટિએ પરિપૂર્ણ નથી. જ્યારે પાંચ ઈન્દ્રિયોની સાથે સાથે મન પણ પ્રાપ્ત થાય છે, ત્યારે પૂર્ણતાની સ્થિતિ આવે છે. પંચેન્દ્રિય હોવું અને સમસ્ક કે મન વાળા હોવું એ વર્તમાન દુનિયામાં સહુથી મોટી ઉપલબ્ધિ છે.
૧૯૨
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org