SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ પડ્યે સાધુજીવનના અભ્યાસ સુધીની સાધનાએ પહોંચે ત્યાં સાચો સમ્યક્ત્વ દીપક પ્રગટે છે; અથવા એમાંથી અમુક સાધના થાય તોય કેટલાકને સમ્યક્ત્વ પ્રગટે છે. આ બધી સાધના વખતે સંસારની અસારતાનું, સંસારમાં જીવની વિટંબણાનું અને મોક્ષમાં જીવની નિશ્ચિત સ્વસ્થતાનું ભાન જરૂરી હોય છે. તેમજ સંસાર ટળી મોક્ષ મળે તો સારું એવી ઊંડે ઊંડે અભિલાષા હોવી આવશ્યક છે. એટલે અહીં નિશ્ચયદૃષ્ટિ બરાબર જાગતી રહીને સફલ વ્યવહારમાર્ગ આદરાય છે. તેથી સાચુ સમ્યગ્દર્શન ઉદય પામે છે. એના ઉપર અણુવ્રતોવાળું શ્રાવકપણું પળાવા દ્વારા સાચું જ દેશ-વિરતિ-ગુણસ્થાનક અને મહાવ્રતોવાળું સાધુજીવન જીવાવા દ્વારા ખરેખર સર્વ વિરતિ-ગુણસ્થાનક પ્રગટ થાય છે. એટલું ખાસ ધ્યાન રાખવું ઘટે કે ગુણસ્થાનકની વસ્તુ આત્માની પરિણતિ (વલણ-વૃત્તિ) રૂપ છે, માત્ર જ્ઞાનરૂપ નહિ. ત્યારે નય, નિક્ષેપાનું, નવ તત્ત્વનું, છ દ્રવ્યનું, દ્રવ્ય સ્વાતંત્ર્યનું, નિમિત્તની નપુંસકતાનું વગેરે જ્ઞાન, એ તો માત્ર જ્ઞાનસ્વરૂપ છે. એનાથી એટલું અજ્ઞાન ટળે; પણ મિથ્યા પરિણતિ કેમ ટળે ? એ ટાળવા તો સમ્યક્ પરિણતિ જોઇએ; અને તે પરિણતિ ઉપરોક્ત વ્યવહારનું સતત સવિધિ, સાદર અને દીર્ઘ સેવન કર્યા વિના કેમ જ ઘડાઇ શકે ? નવીન મતીઓ આ સમજતા નથી. અહીં, મ નિશ્ચયની સાધના વિના એકલા વ્યવહારની સાધનાથી શું વળે ? ઉ પાછા આમાં ભૂલ્યા ! અહીં તો નિશ્ચયસાધના ઠામઠામ છે. દા.ત. ભાવગત લક્ષણો શ્રાવક જે ધરાવે છે, એની પાછળ શ્રાવકનું શું લક્ષ્ય છે ? શી તત્ત્વમાન્યતા છે ? લક્ષ્ય તો તે છે જે પહેલેથી જોતાં આવ્યા છીએ કે અનાદિ અનંત કાળથી નિજનો આત્મા નિજ-ઘ૨ જે મોક્ષની શુદ્ધ સ્વતંત્ર અવસ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy