________________
ર૮.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
:
જવાબ :– સંપૂર્ણ પાઠ કંઠસ્થ હોય તો સામાયિક વિધિપૂર્વક જ લેવી જોઈએ. સંપૂર્ણ પાઠ કંઠસ્થ ન હોય તો સામાયિક લેવાના પાઠ(રેમિ ભંતે)થી લેવી જોઈએ અથવા સાધુ સાધ્વી કે અન્ય કોઈ પાસે પ્રત્યાખ્યાન કરવા જોઈએ. પ્ર. ૧૧ :- · કોઈ પ્રત્યાખ્યાન કરાવનારું પણ ન હોય તો શું કરવું ?
જવાબ : એવી સ્થિતિમાં જો કોઈને સામાયિક કરવી હોય તો યોગ્ય સ્થાનમાં વિધિપૂર્વક બેસીને ત્રણ વાર નવકારમંત્ર બોલીને વંદન કરીને ‘હું સામાયિક ગ્રહણ કરું છું’ એવો સંકલ્પ કરી લેવો અને સમય પૂરો થયા પછી સામાયિક પાળવાના સંકલ્પથી વંદન કરીને ત્રણ વાર નમસ્કાર મંત્ર બોલી લેવા. આ પ્રકારે પણ સામાયિક થઈ શકે છે.
નોંધઃ- આ પરિશિષ્ટના પ્રશ્નોત્તર, ધાર્મિક પાઠશાળાના બાળકો માટે હોવાથી તેનું અલગ પરિશિષ્ટ કરવામાં આવ્યુ છે. તેથી પરિશિષ્ટ-૪માં આવેલા પ્રશ્નોત્તરમાંથી કેટલાકનું પુનરાવર્તન થયું છે. આ પરિશિષ્ટના ઉદ્દેશ્યની ભિન્નતાના કારણે તેમ કરવામાં આવ્યું.
।। સામાયિક સરળ પ્રશ્નોત્તર સંપૂર્ણ
।। આવશ્યક સૂત્રના પરિશિષ્ટો સંપૂર્ણ ॥
।। પરિશિષ્ટ : અનુભવ અર્ક સંપૂર્ણ ॥
।। જૈનાગમ નવનીત ભાગ-૮ સંપૂર્ણ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org