SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬ પ્ર. ૨ ઃ- • તેઓને તીર્થંકર કેમ કહેવાય છે ? જવાબ :- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા; આ ચાર તીર્થની સ્થાપના કરવાથી તેમને તીર્થંકર કહે છે અને જિનશાસનના પૂર્ણ શ્રુતજ્ઞાનની પુનઃ સ્થાપના કરવાથી તેમને તીર્થંકર કહે છે. ૫. ૩ :– તીર્થ કોને કહે છે ? ૨૬૩ જવાબ :- તે તીર્થંકર ભગવાનની વાણીથી સ્વયં સંસારને તરી જાય છે, પાર કરી લ્યે છે અને પોતાના શરણમાં આવનારને પણ સંસારથી તરવાનો માર્ગ બતાવે છે, તેને તીર્થ કહે છે. પ્ર. ૪ઃ- ચોવીસ તીર્થંકર અત્યારે ક્યાં છે ? જવાબ :- ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી પર્યંત ચોવીસ તીર્થંકર ભગવાન સિદ્ધ થઈ ગયા છે, મોક્ષમાં પધારી ગયા છે. પ્ર. ૫:- - અત્યારે કયા તીર્થંકર ભગવાનનું શાસન છે ? જવાબ ઃ- અંતિમ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન અત્યારે ચાલી રહ્યું છે. 4. F:- તીર્થંકર ભગવાન મોક્ષથી પાછા મનુષ્ય લોકમાં ક્યારે આવે છે ? જવાબ :- મોક્ષમાં ગયા પછી ત્યાં આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય છે. તેનું શરીર અને કર્મ તથા રાગ અને દ્વેષ આદિ રહેતા નથી. એટલે તે ક્યારે ય પણ પાછા મનુષ્ય લોકમાં આવતા નથી. પ્ર. ૭ :– સિદ્ધ ભગવાનની સ્તુતિથી આપણને શું લાભ છે ? જવાબ : મહાન પુરુષોના ગુણગ્રામ કરવાથી આપણા જુના કર્મોની નિર્જરા થાય છે, પાપ કર્મોનો બંધ થતો નથી. સદ્ગુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેથી આપણે પણ તેની સમાન બનવાનો પુરુષાર્થ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્ર. ૮ :– સિદ્ધ ભગવાન રાગદ્વેષ રહિત છે. તો તેઓને પ્રસન્ન કરવાને માટે અથવા મોક્ષ દેવા માટે પ્રાર્થના કેમ કરવામાં આવે છે ? જવાબ ઃ– તેના પ્રત્યે આપણો આદરભાવ પ્રગટ થાય છે. એવી પ્રાર્થના કરવાથી આપણને મોક્ષ પ્રાપ્તિની લગની અથવા યોગ્યતા પ્રાપ્ત થાય છે અને તેવા ભાવો દૃઢ બને છે. જેથી આપણે સંયમનું પાલન કરી સમાધિ અને સિદ્ધિને પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્ર. ૯ :– તીર્થંકર ભગવાન સૂર્યથી પણ અધિક કર્યો પ્રકાશ કરે છે ? જવાબ :- આત્મજ્ઞાન રૂપ ભાવ પ્રકાશ કરે છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરે છે. સૂર્ય મનુષ્ય ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને તીર્થંકર ભગવાન કેવળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy