________________
રરર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-૪
સામાયિક
પ્રતિક્રમણના વિશેષ પ્રશ્નોત્તર
પ્રાકથનઃ
પ્રસ્તુત આવશ્યક સૂત્ર પ્રતિક્રમણ અને સામાયિકના રૂપમાં સમાજમાં પૂર્ણ પ્રચલિત છે. એની વિધિ પ્રક્રિયા પૂર્ણ પ્રચલિત છે અર્થાત્ આ સૂત્રની પ્રક્રિયા સમાજમાં સર્વત્ર વ્યાપ્ત છે.
એ વ્યાપકતાને કારણે આ સૂત્રની પ્રક્રિયાઓના વિષયમાં અનેક મતભેદ અને શંકા—જિજ્ઞાસાઓ પણ ઉત્પન્ન થતી રહે છે. કેટલાક સાધકોના મગજમાં અનેક પ્રશ્ન ઉદ્ભવે છે. તેનું ક્યાંક સમાધાન થાય છે અને ક્યાંક કોઈનું સમાધાન થતું નથી.
આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાયીઓના જ્ઞાન વિકાસ માટે આ ચોથું પરિશિષ્ટ પ્રશ્નોત્તર રૂપમાં રાખવામાં આવ્યું છે. જેમાં સામાયિક પ્રતિક્રમણના પાઠોથી સંબંધિત અને સાધના પ્રવૃત્તિ સંબંધી પ્રશ્નોને એકઠાં કરી, તેનું આગમ સાપેક્ષ, ચિંતનયુક્ત સમાધાન આપવામાં આવ્યું છે.
હાર્દિક જિજ્ઞાસાપૂર્વક અને તટસ્થતાપૂર્વક જે સ્વાધ્યાયી આ પ્રકરણનું અધ્યયન કરશે, ચિંતન, મનન કરશે, તે અવશ્ય તત્ત્વ લાભ પ્રાપ્ત કરશે.
Jain Education International
:
નોંધ – નવી શંકાઓના સમાધાન માટે સંપર્ક સૂત્રના માઘ્યમથી પત્ર વ્યવહાર કરો.
For Private & Personal Use Only
www.jainelibrary.org