SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૩૯ (હાનિ) થાય છે. તે વદીપક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકાર પક્ષ છે અને પછી ૪૪ર (ફ મુહૂર્ત સુધી વૃદ્ધિ થાય છે. તે સુદ પક્ષ, ઉધોત પક્ષ, જયોત્સના પક્ષ છે. અમાવસ્યાના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ આચ્છાદિત(ઢંકાયેલો) રહે છે અને પૂનમના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ પ્રગટ રહે છે. બાકીના બધા સમયોમાં કંઈક આચ્છાદિત તો કંઈક પ્રગટ રહે છે. એક યુગમાં દર ચંદ્રમાસ અને ૧૨૪ પક્ષ હોય છે. દર અમાસ, દર પૂનમ હોય છે. એના અસંખ્ય સમય હોય છે. અર્થાત્ યુગમાં અસંખ્ય સમય ચંદ્રની હાનિ અને અસંખ્ય સમય વૃદ્ધિ થાય છે. ચંદ્રનું અયન :- અર્ધ ચંદ્ર મહિનામાં ચંદ્ર ૧૪ ૬ મંડલ ચાલે છે. અર્થાત્ ૧૪ મંડલ પૂરા પાર કરીને ૧૫માં મંડલના મા ભાગ ચાલે છે. સૂર્યના અર્ધ માસમાં ચંદ્ર ૧૬ મંડલ ચાલે છે. આત્યંતરથી બહાર જતા સમયે અમાસના અંતમાં ભાગ મંડલ સ્વ–પર અચલિત મંડલમાં ચાલે છે. પ્રવેશ કરતા સમયે પૂનમના અંતમાં ભાગ મંડલ અચલિતમાં ચાલે છે. લોકરૂઢિથી વ્યક્તિ ભેદની અપેક્ષા ન કરીને કેવળ જાતિ ભેદના આશ્રયથી એવું કહેવાય છે કે ચંદ્ર ૧૪૬ મંડલ ચાલે છે, પરંતુ વાસ્તવમાં બે ચંદ્ર મળીને એટલું ચાલે છે. તેથી એક ચંદ્ર ૧૪ અર્ધ મંડલ ચાલે છે. માટે પ્રથમ અયનમાં ચંદ્રર, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ મું અર્ધ મંડલ દક્ષિણમાં અને ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫નો ભાગ અર્ધ મંડલ ઉત્તરમાં ચાલે છે. એ પ્રકારે ૭ અર્ધ મંડલ દક્ષિણમાં, હું અર્ધ મંડલ ઉત્તરમાં એમ કુલ ૧૩ ૩ અર્ધ મંડલ ચાલવાથી પ્રથમ ચંદ્ર અયન થાય છે. ચંદ્ર, યુગની સમાપ્તિ અંતિમ મંડલમાં પૂનમમાં કરે છે. માટે નવા પ્રથમ અયનને બહારથી આવ્યંતર મંડલમાં પ્રવેશ કરતા સમયે પ્રારંભ કરે છે. બીજું અયન આત્યંતરથી બહાર જતા સમયે કરે છે. ચંદ્ર, નક્ષત્ર અર્ધ માસમાં ચંદ્ર અર્ધ માસની અપેક્ષા ૧, અર્ધ મંડલ અધિક ચાલે છે. પૂર્ણ માસની અપેક્ષા બમણા સમજવા. તેથી ઉક્ત ૧૩૩ અર્ધ મંડલ નક્ષત્ર અર્ધ માસથી કહેલ છે. ચંદ્રના ચલિત અચલિત માર્ગ :- બીજા અયનમાં આવ્યંતરથી બહાર જતા સમયે ચંદ્ર ઉત્તરમાં અવશેષ ભાગ અર્ધ મંડલના ચાલીને, પછી બીજા મંડલના ૩ ભાગ દક્ષિણમાં અર્ધ મંડલના ચાલીને બીજા અયનનું પ્રથમ અર્ધ મંડલ પૂર્ણ કરે છે. આ રીતે ૧૩ ૩ મંડલ પાર કરીને બીજાં અયન પૂર્ણ કરે છે ત્યારે ૭ * પૂરું ભાગ પૂર્વમાં પરચલિતમાં ચાલે છે. ૭૩ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે અને પશ્ચિમમાં ૬ ૮૩ ભાગ પર ચલિત ઉપર ચાલે છે. ૬ x ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. અવશેષ ૨૪ ભાગ અચલિત ઉપર ચાલે છે. આમાં આવ્યંતર Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004930
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2002
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy