SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત બધા ઈન્દ્ર મેરુ પર:– આ જ ક્રમથી બીજા દેવલોકથી ૧રમા દેવલોક સુધીના ઇન્દ્ર અને ભવનપતિ વ્યંતર જયોતિષીના ઈન્દ્ર પણ જન્મ નગરીમાં ન જતાં સીધા મેરુ પર્વત પર જ પહોંચી જાય છે. તીર્થકર ભગવાનને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરે છે. અય્યતેન્દ્ર દ્વારા અભિષેક પ્રારમ્ભ – બારમા દેવલોકના અય્યતેન્દ્ર પોતાના આભિયોગિક દેવોને અભિષેક સામગ્રી લાવવાનો આદેશ દે છે. તે દેવ કળશ, કડછી, છાબડી, રત્ન કરંડક આદિ હજારો વસ્તુઓ વિકર્તિત કરતા જાય છે. ક્ષીર સમુદ્ર, માગધાદિ તીર્થ, પર્વત, ક્ષેત્રો, નદી, દ્રહ, આદિ ક્યાંકથી પાણી, ક્યાંકથી પાણી અને ફૂલ, કયાંકથી પાણી માટી આદિ પવિત્ર અભિષેક સામગ્રી સંપૂર્ણ અઢી દ્વીપના ક્ષેત્ર, પર્વતો, નદીઓ તીર્થો આદિમાં જઈને ઉપયુક્ત સામગ્રી લઈને મેરુ પર અચ્યતેન્દ્ર પાસે પહોંચે છે. પછી અચ્યતેન્દ્ર તે મંગલ પદાર્થોથી જળ માટી ફૂલ આદિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. કોઈક દેવ વાજિંત્ર આદિનો ધ્વનિ ફેલાવે છે. અનેક કુતૂહલી દેવ અનેક પ્રકારે હર્ષાતિરેકથી કુતૂહલ કૃત્ય કરે છે. અય્યતેન્દ્ર જળ આદિથી અભિષેક કરી મસ્તક પર અંજલિ કરી, નમન કરી, જય જય કાર કરે છે. પછી મુલાયમ રૂંવાટીદાર વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછીને ગોશીર્ષ ચંદન આદિ લગાવીને વસ્ત્ર યુગલ પહેરાવે છે, અલંકૃત વિભૂષિત કરે છે. પછી ચોખાથી ભગવાનની સમક્ષ અષ્ટ મંગલ ચિન્હ બનાવે છે. પુષ્પ એવં રત્ન આદિના ભટણા ચઢાવે છે. જેથી ગોઠણ પ્રમાણ ઢગલા થઈ જાય છે. પછી ૧૦૮ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતાં અનેક ગુણો, ઉપમાઓથી સત્કારિત સમ્માનિત કરી, વંદન નમસ્કાર કરી, યથાસ્થાન રહીને પર્યાપાસના કરે છે. શેષ ઇન્દ્રો દ્વારા અભિષેક – આ પ્રકારે ૩ ઇન્દ્રો જન્માભિષેક કરે છે. અંતમાં ઈશાનેન્દ્ર પાંચ રૂપ બનાવીને ભગવાનને હાથમાં લઈને બેસે છે. ત્યારે શક્રેન્દ્ર ઉક્ત વિધિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. વિશેષતા એ છે કે ચાર સફેદ બળદ વિકર્વિત કરીને તેના આઠ શિંગડાંથી પાણીને ઉપર ફેલાવી એક સ્થાનમાં મેળવીને ભગવાનના મસ્તક પર અભિષેક કરે છે. સમારોહ સમાપન, શક્રેન્દ્ર જન્મ નગરીમાં – આ રીતે સંપૂર્ણ અભિષેકવિધિના સમાપન થવા પર શક્રેન્દ્ર પૂર્વ વિધિ અનુસાર ભગવાનને લઈને જન્મ નગરીમાં આવે છે. ભગવાનને માતા પાસે સુવડાવીને વિકર્વિત શિશુ રૂપને હટાવીને માતાની નિદ્રા સમાપ્ત કરે છે. વસ્ત્ર યુગલ અને કુંડલ યુગલ ભગવાનના ઓશીકા પાસે રાખી દે છે. એક સુંદર રત્નોનું ઝૂમખું ભગવાનના દષ્ટિ પથ ઉપર છત પર લટકાવી દે છે. વૈશ્રમણ દેવના દ્વારા ૩ર ક્રોડ સોના મહોર આદિ ભંડારમાં રખાવી દે છે. અન્ય પણ અનેક વસ્તુઓ ૩ર-૩ર ની સંખ્યામાં રખાવી દે છે. પછી નગરીમાં ઘોષણા કરાવી છે કે કોઈ પણ દેવ-દાનવ(માનવ) તીર્થકર ભગવાન અને એમની માતાના પ્રતિ અશુભ અહિતકર મન આદિ કરશે તો એના મસ્તકના ૧૦૦ ટુકડા
SR No.004930
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2002
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy