SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ છેદશાસ્ત્ર પરિશિષ્ટ ખંડ-૨ ર૪s નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૮ અનુસાર સકારણ(અશક્તિ વગેરેથી) આજ્ઞાપૂર્વક મર્યાદાથી અતિરિક્ત વસ્ત્ર રાખવામાં પ્રાયશ્ચિત્ત આવતું નથી. સાધ્વીનાં વસ્ત્ર સંબંધી વિશેષ ઉપકરણ: આગમોમાં સાધ્વીને માટે ચાર પછેડીનું અને એની પહોળાઈનું કથન છે. ૩ દાંત અને ૩૬૫% તે બન્ને ઉપકરણ વિશેષ કહેલ છે. આગામોમાં સાધ્વીનાં ઉપકરણોનું જુદું જુદું સ્પષ્ટ માપ નથી માટે સાધ્વીઓ પણ આવશ્યકતા અને સમાચારી અનુસાર ઉપકરણ રાખી શકે છે. પરંતુ અકારણ તેમજ આજ્ઞા વિના ચાર અખંડ વસ્ત્ર(થાન-તાકા)ના માપથી અધિક વસ્ત્ર રાખવાથી તેને પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. શીલરક્ષાને માટે અને શરીર-સંરચનાને કારણે ઉપકરણની સંખ્યા અને તેનું માપ વધારે હોવાથી સાધ્વીને માટે બૃહત્કલ્પ સૂત્રમાં એક અખંડ વસ્ત્ર(તાકો) વધારે કહેલ છે. ૩ દાંત-૩૯૫ટ્ટ – ગુપ્તાંગને ઢાંકવાને માટે લંગોટ જેવા ઉપકરણને પદૃવ સમજવું અને જાંગીયા જેવા ઉપકરણને પારખેત સમજવું જોઈએ. બૃહત્કલ્પ સૂત્ર ઉ.૩ માં બંને ઉપકરણો સાધુને રાખવાનો નિષેધ છે અને સાધ્વીને રાખવાનું વિધાન છે. આ બંન્ને ઉપકરણ શીલ રક્ષા માટે રાખવામાં આવે છે અને યોગ્ય સમયે પહેરી શકાય છે. વ્યાખ્યાકારોએ આ બંને ઉપકરણોનાં સ્થાને છ ઉપકરણોનું વર્ણન કરેલ છે. તેમજ તેઓએ સાધ્વીને માટે “ર૫” ઉપકરણોની સંખ્યા બતાવી છે અને સાધુને માટે ૧૪ ઉપકરણ કહેલ છે. આગામોમાં સંખ્યાનો એવો કોઈ નિર્દેશ નથી. પરંતુ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ ઉપકરણોનું કથન છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એકીસાથે ઉપકરણોનું કથન કરેલ છે. પરંતુ ત્યાં સંખ્યાનો નિર્દેશ નથી અને તે કથનથી ભાષ્યોક્ત સંખ્યાની સંગતિ પણ થતી નથી. પાત્ર સંબંધી જ્ઞાન-વિજ્ઞાન: લાકડું, તુંબડું અને માટી, આ ત્રણ જાતિનાં પાત્રમાંથી કોઈપણ જાતિનાં પાત્રા રાખવામાં આવી શકે છે; એવું વર્ણન અનેક આગમોમાં સ્પષ્ટ મળે છે. પરંતુ પાત્રની સંખ્યાનો નિર્ણય કોઈપણ આગમ પાઠથી મળતો નથી (૧) આચારાંગ સૂત્ર શ્રુ.૧, અ.૮, ઉ.૪ માં વિશિષ્ટ પ્રતિજ્ઞાધારી ભિક્ષુ માટે અનેક પાત્રોનું વર્ણન છે–ને fમણૂ તિહિં વર્જ્યોહિં પરિવસિ પાય વલ્વેહિં. અહીં એક વચનનો પ્રયોગ ન કરીને પાય ડિત્યેષ્ઠિ એવું બહુવચનાં પ્રયોગ છે. (૨) વ્યવહાર સૂત્ર ઉદ–રમાં પરિહારતા પ્રાયશ્ચિત્ત વહન કરનારા ભિક્ષુને માટે આહાર કરવાનું વિધાન કરતાં પાત્રની અપેક્ષાથી પાંચ શબ્દોનો પ્રયોગ કરેલ છે.- સતિ વા પડાપતિ, સયંસિ વી પીસિ. કરિ વા મંડનહિ, Jain E ww.jainenbrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy