________________
છેદશાસ્ત્ર ઃ શિક્ષા-વાક્ય
શિક્ષા-વાક્ય
* શબ્દોને ન જુઓ, ભાવો ને જુઓ. અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો.
♦ પરંપરાઓના હઠાગ્રહમાં ન ફસાઓ.
* ઉદાર હૃદયી બનીને નૂતન તત્વોનું અનુપ્રેક્ષણ કરો.
* સમભાવ અને સમાધિ ભાવોને ન ગુમાવો.
* કોઈના પણ પ્રત્યે વેર, વિરોધ કે કલુષિત ભાવ ન રાખો.
♦ આગમો પ્રત્યે સર્વાધિક સન્માન રાખો.
♦ આગમનિરપેક્ષ આગમ અકથિત પરંપરાઓનો આગ્રહ કરવો, વિવાદ કરવો અવિવેક છે, નાસમજ છે.
♦ આગમ વિપરીત પરંપરાઓનો કદાગ્રહ રાખવો વિવેકહીનતા છે, નાદાનતા છે. આગમ વિપરીત કોઈપણ આચરણ કરી તેનું પ્રાયશ્ચિત્ત ન કરવું તેને જ શિથિલાચાર કહેવાય છે.
* આગમ વિપરીત આચરણ કરી તેનું મંડન કે પ્રરૂપણ કરવું તે સ્વચ્છંદાચાર છે, અસત્પ્રરૂપણ છે.
આગમ સમ્મત અર્થ–પરમાર્થને પરંપરાના નામે નકારવા કે સ્વીકાર ન કરવા તે અજ્ઞાનતા છે.
♦ ઉત્કટ ત્યાગમાં પણ ધર્મનો વિવેક જાળવવો જરૂરી છે.
* અનુકંપા તો સમકિતનું મુખ્ય લક્ષણ જ છે.
* હિંસા તથા આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નહીં પરંતુ ધર્મમાં ઘુસાડેલી વિકૃત પરંપરાઓ છે તે તજવા યોગ્ય છે.
* અતૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાની સાચી સફળતા છે. ક્યાંય પણ કોઈની પણ સાથે કર્મબંધન ન કરવું, તે જ જ્ઞાનનો સાર છે.
* ભાવોની શુદ્ધિ અને હૃદયની પવિત્રતા એ જ સાધનાનું હાર્દ છે.
* આગમ નિરપેક્ષ ચિંતન ન હોવું જોઈએ.
આગમ જ છદ્મસ્થ માટે સર્વોપરિ છે.
૧૭
Jain Education International
* જે આગમ પ્રમાણની સામે પણ પરંપરા તથા પૂર્વજોની દલીલ આપે છે, તેમને આગળ કરે છે, તે ધર્મના મર્મથી બહુ દૂર છે; આગમ પ્રમાણના દ્રોહી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org