SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છેદશાસ્ત્ર ઃ શિક્ષા-વાક્ય શિક્ષા-વાક્ય * શબ્દોને ન જુઓ, ભાવો ને જુઓ. અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. ♦ પરંપરાઓના હઠાગ્રહમાં ન ફસાઓ. * ઉદાર હૃદયી બનીને નૂતન તત્વોનું અનુપ્રેક્ષણ કરો. * સમભાવ અને સમાધિ ભાવોને ન ગુમાવો. * કોઈના પણ પ્રત્યે વેર, વિરોધ કે કલુષિત ભાવ ન રાખો. ♦ આગમો પ્રત્યે સર્વાધિક સન્માન રાખો. ♦ આગમનિરપેક્ષ આગમ અકથિત પરંપરાઓનો આગ્રહ કરવો, વિવાદ કરવો અવિવેક છે, નાસમજ છે. ♦ આગમ વિપરીત પરંપરાઓનો કદાગ્રહ રાખવો વિવેકહીનતા છે, નાદાનતા છે. આગમ વિપરીત કોઈપણ આચરણ કરી તેનું પ્રાયશ્ચિત્ત ન કરવું તેને જ શિથિલાચાર કહેવાય છે. * આગમ વિપરીત આચરણ કરી તેનું મંડન કે પ્રરૂપણ કરવું તે સ્વચ્છંદાચાર છે, અસત્પ્રરૂપણ છે. આગમ સમ્મત અર્થ–પરમાર્થને પરંપરાના નામે નકારવા કે સ્વીકાર ન કરવા તે અજ્ઞાનતા છે. ♦ ઉત્કટ ત્યાગમાં પણ ધર્મનો વિવેક જાળવવો જરૂરી છે. * અનુકંપા તો સમકિતનું મુખ્ય લક્ષણ જ છે. * હિંસા તથા આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નહીં પરંતુ ધર્મમાં ઘુસાડેલી વિકૃત પરંપરાઓ છે તે તજવા યોગ્ય છે. * અતૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાની સાચી સફળતા છે. ક્યાંય પણ કોઈની પણ સાથે કર્મબંધન ન કરવું, તે જ જ્ઞાનનો સાર છે. * ભાવોની શુદ્ધિ અને હૃદયની પવિત્રતા એ જ સાધનાનું હાર્દ છે. * આગમ નિરપેક્ષ ચિંતન ન હોવું જોઈએ. આગમ જ છદ્મસ્થ માટે સર્વોપરિ છે. ૧૭ Jain Education International * જે આગમ પ્રમાણની સામે પણ પરંપરા તથા પૂર્વજોની દલીલ આપે છે, તેમને આગળ કરે છે, તે ધર્મના મર્મથી બહુ દૂર છે; આગમ પ્રમાણના દ્રોહી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy