SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર ઃ દશવૈકાલિક સૂત્ર પ્રસ્તાવના દશવૈકાલિક સૂત્ર 33 પ્રાકથન : સાહિત્ય એ સમાજનું દર્પણ છે, સંસ્કૃતિની રજૂઆત કરનાર છે, માર્ગદર્શક પણ છે, ભૂત અને ભવિષ્યકાળના વક્તા પણ સાહિત્ય જ છે, વર્તમાનનો ચિરાગ છે. સત્સાહિત્ય, સદ્ગુણોનો અક્ષયકોષ છે, મોક્ષ માર્ગનો દીવો છે. તેથી જ આગમ જૈન સાહિત્યની અમૂલ્ય નિધિ છે. આગમ અક્ષરદેહથી જેટલા વિશાળ છે, એથી પણ વધુ અર્થ ગરિમાની દૃષ્ટિથી ગહન તેમજ વ્યાપક છે. સૂત્ર સ્થાન ઃ– દશવૈકાલિક સૂત્ર અંગ બાહ્ય સૂત્ર છે, તેને વર્તમાનમાં મૂળ સૂત્રમાં ગણવામાં આવે છે અને તેનું અધ્યયન સાધુઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે. જૈન આગમોમાં સાધુઓના આચાર સંબંધી મૂળ ગુણો, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનું નિરૂપણ છે, જે સાધુની જીવનચર્યામાં મૂળભૂત સહાયક બને છે, તે બધાનું અધ્યયન સુચારુરૂપે જેમાં મળે છે, તે મૂળસૂત્ર છે. તેથી દશવૈકાલિક સૂત્રને પણ મૂળસૂત્રના રૂપમાં સ્વીકાર કરેલ છે. આ ઉત્કાલિક સૂત્ર છે, તેને ૩ર અસ્વાધ્યાય સમય છોડી દરેક સમયે વાંચી શકાય છે. ઐતિહાસિક પરિચય :- આ સૂત્રની રચના માટે ઇતિહાસ તેમજ કથાનક એવું છે કે, શય્યભવાચાર્યે પોતાના અલ્પ વયસ્ક દીક્ષિત પુત્રને બોધ પમાડવા માટે વિભિન્ન આગમ સૂત્રોમાંથી સાધ્વાચારના વિષયોનું નિર્મૂહણ કરી આ સૂત્રની રચના કરી છે. બંને ચૂલિકાઓ માટે પણ કથાનક તેમજ ઇતિહાસ એવો ઉપલબ્ધ છે કે સ્થૂલિભદ્રજીની બહેન મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવેલ તેને અહીંયા જોડી દીધેલ છે. પરંતુ અગસ્ત્યસિંહસૂરી આ ચૂલિકાઓના કર્તા પણ શય્યભવાચાર્યને જ માને છે. ઉપરોકત બંને કથાનક સમીક્ષા કરવાથી મહત્ત્વપૂર્ણ પ્રતીત થતા નથી. નંદીસૂત્રની શ્રુતસૂચિમાં આ શાસ્ત્રની 'અંગબાહ્ય' સૂત્રોમાં ગણના કરેલ છે. તેથી આ સૂત્ર નન્દીસૂત્રથી પહેલા રચાયેલું છે એટલું તો સ્પષ્ટ જ છે. Jain Education International રચના :- આ આગમના રચનાકાર આચાર્ય શય્યભવ છે તેવું મનાય છે. તેઓ રાજગૃહીના બ્રાહ્મણ પરિવારના હતા, તેમનો જન્મ વીર નિર્વાણના ૩૬ વર્ષ બાદ (વિક્રમ પૂર્વ ૪૩૪માં) થયો હતો. તેઓ વેદાંતી હતા, જૈન માન્યતાઓના કટ્ટર વિરોધી હતા. એક વખત આચાર્ય પ્રભવના બે શિષ્યો તેમને પ્રતિબોધ આપવા ગયા. ત્યારે તેમનું ઘોર અપમાન થયું પરંતુ નિગ્રંથ ખરેખર નિગ્રંથ હતા. તેમના મુખારવિંદથી નીકળેલ એક જ શબ્દ શય્યભવની વિચારધારાને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં બદલી નાંખી, પરિવર્તિત કરી નાંખી. "અહો ! કષ્ટ, અહો કષ્ટ, તત્ત્વ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy