SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: આવશ્યક સૂત્રનો સારાંશ | ર૧ [નોંધઃ- અતિચાર ચિંતનના પાઠો અને ક્ષમાપના ચિંતનનો પાઠ સૂત્રમાં છે પરંતુ તપચિંતનનો પાઠ સૂત્રમાં નથી. તેના ચિંતન માટે જિજ્ઞાસુ પાઠક સારાંશખંડ-૮માં આવશ્યક સૂત્રના પરિશિષ્ટ વિભાગ પૃષ્ટ ૨૧દમાં જુઓ.] છડું આવશ્યક(અધ્યયન) દસ પચ્ચકખાણ સૂત્રઃ(૧) પ્રતિક્રમણ અને વિશુદ્ધિકરણ પછી તપ રૂપી પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ પણ આત્મા માટે પુષ્ટિકારક થાય છે. તપથી વિશેષ કર્મોની નિર્જરા થાય છે, તેથી આ છઠ્ઠા આવશ્યકમાં ઈવરિક અનશન પરૂપ ૧૦ પ્રત્યાખ્યાનના પાઠ કહેવામાં આવેલ છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાન પણ છે અને અદ્ધા પ્રત્યાખ્યાન પણ છે. નમસ્કાર સહિત(નવકારસી) – પ્રારંભના પ્રથમ પ્રત્યાખ્યાનના પાઠમાં “સહિય’ શબ્દનો પ્રયોગ થયો છે, જે “ગંઠી સહિયે”, “મુક્ટિ સહિય'ના પ્રત્યાખ્યાન જેવો છે. તેથી સહિત શબ્દની અપેક્ષાએ આ સંકેત પ્રત્યાખ્યાન થાય છે. સંકેત પ્રત્યાખ્યાનોમાં કાળની નિશ્ચિત મર્યાદા હોતી નથી, તે સંકેતમાં નિર્દિષ્ટ વિધિએ ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવે છે. કાળ મર્યાદા ન હોવાથી સંકેત પ્રત્યાખ્યાનોમાં સર્વસમાધિ પ્રત્યયિક આગાર હોતો નથી, કારણ કે પૂર્ણ સમાધિ ભંગ થવાની અવસ્થા પહેલાં જ સંકેત પચ્ચકખાણ ગમે ત્યારે પાળી શકાય છે. તળુસાર નવકારસીના પાઠમાં પણ આ આગાર કહેવામાં આવેલ નથી અને નમસ્કાર સહિયં શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અદ્ધા પ્રત્યાખ્યાન નથી પરંતુ સંકેત પ્રત્યાખ્યાન છે અર્થાત્ તેમાં સમયની કોઈ પણ મર્યાદા હોતી નથી, સૂર્યોદય પછી ગમે ત્યારે નવકાર મંત્ર ગણી આ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. બાકી બધા (૯) અદ્ધા પ્રત્યાખ્યાન છે. નવકારસી પ્રખ્યાખ્યાનમાં ચારે ય આહારનો ત્યાગ હોય છે, તેમજ બે આગાર હોય છે, (૧) ભૂલથી ખાઈ લેવાય (૨) અચાનક પોતાની જાતે મોઢામાં ચાલ્યું જાય, તો આગાર. (નોધઃ- વર્તમાન પરંપરાઓમાં નવકારસીને અાપ્રત્યાખ્યાન માનવામાં આવે છે જેમાં તેનો સમય ૪૮ મિનિટનો નિશ્ચિત કરેલ છે. માટે વર્તમાન રૂઢ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તે પાઠના પ્રારંભમાં સદના સ્થાને નમુક્ઝરી બોલવું યોગ્ય થાય છે અને આગાર બેના સ્થળે ત્રણ બોલવા જોઈએ. અર્થાત્ તેમાં સવા સમાદિ વરિયાપારનું આગાર વધારે બોલવું જોઈએ.] આ રીતે ૪૮ મિનિટની નવકારસીને પરંપરા સત્ય કે રૂઢ સત્ય સમજી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy