SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: પરિશિષ્ટ વિભાગ: તેત્રીસ બોલા ૨૦ પરિશિષ્ટ-૩ઃ તેત્રીસ બોલ વિસ્તાર પહેલા બોલથી છઠ્ઠા બોલ સુધી પ્રચલિત અને સરલ બોલ છે. તે આવશ્યક સુત્ર સારાંશમાં પુષ્ટ ૧૮માં આપી દીધા છે. બાકીના બોલોમાંથી કેટલાંક બોલોનો વિસ્તાર અહીં આપ્યો છે. તે દરેક સંયમ સાધકે જાણવા અને કંઠસ્થ કરવા બહુ ઉપયોગી છે. ભયનાં સાત સ્થાન:- ભય એ મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. તેના પ્રભાવથી થતાં આત્મ પરિણામને ભય કહેવાય છે. તે સાત પ્રકારના છે ૧. ઈહલોક ભયઃ સજાતીય ભય. મનુષ્યને મનુષ્યથી થતો ભય. ૨. પરલોક ભય : વિજાતીય ભય, તિર્યંચ, દેવ આદિથી થતો ભય. ૩. આદાન ભયઃ ધન આદિના અપહરણથી થતો ભય.૪. અકસ્માત્ ભયઃ બાહ્યનિમિત્તો વિના પોતાના જ સંકલ્પોથી થતો ભય. ૫. વેદના ભય: પીડા આદિથી ઉત્પન્ન થતો ભય. દ મરણ ભય: મરણનો ભય. ૭. અયશ ભય: અપકીતિનો ભય. આઠ મદ :- ૧. જાતિમદ ૨. કુળમદ ૩. બળમદ ૪. રૂપમદ ૫. તપમદ . સૂત્રમદ ૭. લાભમદ ૮. ઐશ્વર્યમદ – પ્રજ્ઞાપના સૂત્ર. બ્રહ્મચર્યની નવગુપ્તિઓ(નવ વાડ):- ૧.વિવિક્તઃ સ્ત્રી, પશુ રહિત શય્યા– ઉપાશ્રયનું સેવન કરવું. ૨. સ્ત્રી સંબંધી કથા, વાર્તા, ચર્ચા આદિ ન કરવાં. ૩. સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું અને તેના ઉડ્યા પછી પણ તે સ્થાન પર થોડા સમય(કેટલોક વખત) સુધી બેસવું નહીં. દ. પૂર્વ અવસ્થામાં ભોગવેલાં ભોગોની સ્મૃતિ કરવી નહીં.(ચિંતન કરવું નહીં.) ૭. સદા પ્રણીત રસ એટલે અતિ સરસ આહાર કરવો નહીં. ૮. અધિક માત્રામાં આહાર કરવો નહીં. ૯. વિભૂષાવૃત્તિ : સ્નાન શૃંગાર(શણગાર) કરવો નહીં. ૧૦. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં તથા યશકીર્તિ પ્રશંસામાં આસક્ત થવું નહીં. નોંધઃ- આ દસમો બોલ ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન–૧૬માંથી લેવામાં આવ્યો છે. દશ પ્રકારનો શ્રમણધર્મ(સાધુધર્મ):– ૧.ક્ષાન્તિ–ક્ષમા. ક્રોધનો વિવેક (ત્યાગ) ૨. મુક્તિ-અકિંચન-લોભનો વિવેક(ત્યાગ) ૩. આર્જવ-ઋજુતા. માયાનો વિવેક(ત્યાગ) ૪. માર્દવ-મૃદુતા. માનનો વિવેક(ત્યાગ) ૫. લાઘવ- લઘુતા. હલકાપણું-અપ્રતિબદ્ધતા દ. સત્ય-મહાવ્રત આદિ પાલનમાં સત્યનિષ્ઠા ૭. સંયમ-ઇન્દ્રિય નિગ્રહ આદિ ૮. તપ-અનશન આદિ ૯. ત્યાગ-સાધર્મિક સાધુઓને ભોજન આદિ દેવું. ૧૦. બ્રહ્મચર્યવાસ–નિયમ, ઉપનિયમ અને દસ સમાધિયુક્ત બ્રહ્મચર્યનું પાલન. અગિયાર શ્રાવક પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં(છેદ શાસ્ત્રખંડ-૪માં) જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy