SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રાર્થન : દ્વાદશાંગીમાં આ દશમું અંગસૂત્ર છે. તે પહેલાના છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અંગસૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે અને ત્યારપછી પણ અગિયારમું અંગસૂત્ર વિપાક સૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે. ઉપલબ્ધ આ દશમા અંગશાસ્ત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરનું વિસ્તાર પદ્ધતિથી વર્ણન છે. ઐતિહાસિક વિચારણાઓ:- નંદીસૂત્ર તેમજ ઠાણાંગ, સમવાયાંગ સૂત્રમાં આ સૂત્રનો વિષય પરિચય કંઈ જુદો જ છે જે ઉપલબ્ધ સૂત્રથી પૂર્ણતઃ ભિન્ન છે. ઇતિહાસત્ત, ચિંતક તેમજ સંશોધક વિદ્વાનોએ આ વિષયમાં વિચારો પ્રગટ કર્યા છે પરંતુ તે બધા મળીને પણ સંપૂર્ણ નિર્ણયાત્મક કોઈ પરિણામ આવ્યું નથી. દેવવાચક શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ અથવા અન્ય સૂત્રકાર આચાર્યોએ મૌલિક આગમોમાં તે સમયની આગમ પરિવર્તનની પરિસ્થિતિઓનો કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ન તે સમયે એવી ઐતિહાસિક સંકેત લખવાની પદ્ધતિ હતી. તે સમય ફક્ત સૂત્ર નિર્માણનો જ યુગ હતો. સૂત્રોની વ્યાખ્યા અથવા પરિચય અથવા ઐતિહાસિક લેખનનો યુગ ઘણા સમય પછી ક્રમથી પ્રગતિ કરવા લાગ્યો છે. તે જ કારણે કલ્પનાઓમાં ઉડવા સિવાય કોઈપણ નિર્ણય થયો નથી. નવીન વિચારધારા – બુદ્ધિજીવી વ્યક્તિઓને માટે એક નવું ચિંતન પ્રસ્તુત છે કે છટ્ટાથી અગિયારમા અંગશાસ્ત્ર સુધીના બધા કથા પ્રધાન શાસ્ત્રોની વચમાં આ દશમું અંગ પણ કથા પ્રધાન હોવું વધારે યોગ્ય થાય છે પરંતુ વચમાં નંદીસમવાયાંગ સૂત્ર સૂચિત ચમત્કારી વિદ્યાઓથી પરિપૂર્ણ આ સૂત્રનું હોવામાં કોઈ યોગ્ય કારણ સમજમાં આવતું નથી. બીજી વાત એ છે કે દ્વાદશાંગીમાં અગિયાર અંગશાસ્ત્રોનું પ્રત્યેક આત્માર્થી સાધુ તથા સાધ્વીજીઓ અધ્યયન(કંઠસ્થ) કરે છે. બારમા દષ્ટિવાદના અધ્યયનની યોગ્યતા દરેકમાં હોતી નથી. તે વિશેષ પાત્ર હોય તેને જ દેવામાં આવે છે. તેમજ સાધ્વીજીઓને માટે તેનું અધ્યયન પૂર્ણ નિષિદ્ધ છે. આગમકાર શ્રી ગણધર પ્રભુ દ્વારા સામાન્ય બધા સાધકોને અધ્યયન કરાવવામાં આવતા આગમમાં ચમત્કારી વિદ્યાઓને ગુંથન કરવાની કલ્પના કરવી તેમજ અન્ય વિદ્વાનો દ્વારા ભવિષ્યમાં તેના દુરુપયોગની આશંકાથી કાઢવાનું માનવું તેમાં ગણધર પ્રભુની પ્રતિષ્ઠાની હાનિ થાય છે. આવિચારધારા અનુસાર આચારાંગનું આઠમું અધ્યયન હોય અથવા સંપૂર્ણ પ્રશ્નવ્યાકરણ સૂત્ર, તેને ચમત્કારી વિદ્યાઓના કારણે લોપ કરી બતાવવું એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy