SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : આવશ્યક સૂત્રનો સારાંશ (૪) મતલબ કે શરણભૂત તો ધર્મ તથા ધર્મી આત્માઓ બંને હોય છે, પરંતુ નમસ્કરણીય તો ધર્મી આત્માઓ જ હોય છે, ધર્મ નમસ્કરણીય હોતો નથી. (૫) અરિહંત, સિદ્ધ,સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય જે કાંઈપણ લોકમાં ઉત્તમ કે મંગલ અથવા શરણભૂત માનવામાં આવે છે તે લૌકિક દૃષ્ટિએ કે બાલ દૃષ્ટિએ હોય છે, પરંતુ તે સર્વે, આધ્યાત્મ દૃષ્ટિથી વાસ્તવમાં મંગલરૂપ કે શરણભૂત હોતા નથી. ૧૫ (૬) આ સૂત્રને ‘મંગલપાઠ’, ‘માંગલિક’, ‘મંગલિક’ આદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણ સૂત્ર : (૧) આ સૂત્રમાં રૂામિ નાપ્તિ એ પ્રથમ પદ છે તેથી તેને ઇચ્છામિ ઠામિનો પાઠ પણ કહેવામાં આવે છે. (૨) આ સૂત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનોનું સંકેતપૂર્વકનું વર્ણન છે, જેમ કે— (અ) ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃતિ, (બ) અયોગ્ય, અકલ્પ્ય આચરણ, દુર્ધ્યાન, માઠું ચિંતન (ક) જ્ઞાન-દર્શન-ચારિત્રમાં અતિચરણ (ડ) શ્રુતજ્ઞાન, સામાયિક, ગુપ્તિ, મહાવ્રત, પિંડૈષણા તથા બ્રહ્મચર્યની નવ વાડ, દસ શ્રમણધર્મ આદિમાં અતિચરણ (ઈ) કષાય વિજયમાં અને છ કાય રક્ષણમાં સ્ખલના. આ પ્રકારે આ પાઠમાં સાધુ ગુણોના અતિચારનું દેવસીય ક્ષિપ્ત પ્રતિક્રમણ છે. (૩) શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની અપેક્ષા આ પાઠમાં મહાવ્રત આદિની જગ્યાએ ૧૨ વ્રતના અતિચારની વિશેષતા છે, શેષ સમાનતા છે. ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર : (૧) આ સૂત્રનો પ્રથમ શબ્દ રૂાારેળ હોવાથી તેને ઇચ્છાકારેણનો પાઠ કહેવામાં આવે છે. માર્ગમાં ચાલવાથી કે બીજી અન્ય શારીરિક ક્રિયાઓ કરવામાં નાના-નાના જીવોની જાણતા-અજાણતા વિરાધના થતી રહે છે, તેનું પ્રતિક્રમણ-શુદ્ધિકરણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૨) તે જીવોના આ પ્રકાર છે— ૧. પ્રાણી—કીડી, મકોડી, કંથવા આદિ ૨. અનેક પ્રકારના બીજ ૩. લીલું ઘાસ, ફૂગ, અન્ય વનસ્પતિ, અંકુરા આદિ ૪. પાણી, ઝાકળ બિંદુ આદિ ૫. સચિત માટી, નમક આદિ અથવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય. (૩) જીવ વિરાધનાના પ્રકાર– ૧. તેમની ગતિમાં અવરોધ કરવો ૨. ધૂળ, વસ્ત્ર આદિથી ઢંકાઈ જવું, ઢાંકી દેવા ૩. મસળવા, રગદોળવા ૪. એક જ જગ્યાએ અનેક જીવોને સરકાવીને એકઠા કરવા ૫. ચોટ લગાડવી ૬. પરિતાપ-કષ્ટ આપવું ૭. કિલામના = અધિક કષ્ટ આપવું ૮.ઉપદ્રવિત = ભય પમાડવો ૯. એક = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy