SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ TET મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જુગલિક ક્ષેત્રોના વૃક્ષ આદિ દસ-દસ સંખ્યામાં છે. નેમિનાથ ભગવાન, કૃષ્ણ અને બલરામ દસ ધનુષ ઊંચા હતા. CIET : સમવાય ૧૧ થી ૨૦ , સામા (૧) શ્રાવક પડિમા અગિયાર છે, ગણધર ઇન્દ્રભૂતિ આદિ અગિયાર છે. મેરુથી જ્યોતિષીનું અંતર ૧૧ર૧ યોજન છે અને લોકાંતથી ૧૧૧૧ યોજનનું અંતર છે. ૧૧ થી ર૦ પલ્યોપમની સ્થિતિ અને એટલા જ સાગરોપમની સ્થિતિ તથા તેટલા જ પખવાડિયે શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનના દેવોની સ્થિતિ અને ભવસિદ્ધિકના મોક્ષનું કથન ૧૧ થી ૨૦ સુધીના સમવાયોમાં છે. (૨) ભિક્ષુ પડિમા બાર છે. (૩) સાધુઓના પારસ્પરિક વ્યવહાર(સંભોગ) બાર છે–૧. ઉપધિ આપવીર. શ્રુતજ્ઞાન આપવું ૩. આહાર પાણી સાથે કરવા ૪. હાથ જોડવા ૫. આહાર આદિ આપવા ૬. નિમંત્રણ કરવું. વિનય માટે ઊભા થવું૮.વિધિથી (આવર્તન સહિત) વંદન કરવા ૯ સેવા કરવી ૧૦. એક સ્થાને, ઉપાશ્રયમાં રહેવું ૧૧. એક આસનપાટ પર બેસવું ૧૨. એક સાથે વ્યાખ્યાન દેવું. જેની સાથે આ ૧ર સંભોગ-પારસ્પરિક વ્યવહાર હોય છે તેને સાંભોગિક સાધુ કહેવાય છે. આહાર એક સાથે એક માંડલામાં જેની સાથે ન હોય તેને અસાંભોગિક સાધુ કહેવાય છે. જે સાધુઓની સમાન સમાચારી છે, આદેશ-નિર્દેશ, નેતૃત્વ એક હોય છે તેનો આહાર એક માંડલામાં(એક સાથે) હોય છે. જે સાધુઓની સમાચારી ભિન્ન હોય છે, આદેશ, નિર્દેશ, નેતૃત્વભિન્ન હોય, છે, તેઓ પરસ્પર અસાંભોગિક અથવા અન્ય સાંભોગિક શ્રમણ કહેવાય છે. તેના આહાર-પાણી ભેગા હોતા નથી તેમજ ભેગા આહાર-પાણી સિવાય અગિયાર વ્યવહાર તે શુદ્ધ આચારવાળા શ્રમણ સમુદાયની સાથે રાખવામાં આવે છે. અશુદ્ધાચારી–શિથિલાચારી શ્રમણ સમુદાયની સાથે તથા ભિન્નલિંગી જૈન સાધુઓની સાથે એ અગિયાર વ્યવહારોમાંથી ક્ષેત્ર-કાળને યોગ્ય કોઈપણ સભ્ય વ્યવહાર રાખી બહુશ્રુત શ્રમણના કે આચાર્યના નિર્ણયથી તાત્કાલિક અને દીર્ઘકાલિક બંને પ્રકારે રાખી શકાય છે. (૪) કૃતિકર્મનો અર્થ છે– વિધિપૂર્વક ઉત્કૃષ્ટ વંદન. તેમાં બે વાર ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. જેમાં ૧ર આવર્તન હોય છે, ચાર વખત મસ્તક ઝુકાવવું. (ત્રણ-ત્રણ આવર્તન પછી એક વખત) બે વખત નમન (નમસ્કાર). ૩yગાળદ ને ઉષ ૩૬ ઉચ્ચારણની સાથે, બે વાર પ્રવેશ (બેસવું, એકવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy