________________
ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
મુનિ એકલા જ રહેતાં, સત્યનિષ્ઠ તેમજ તપમાં લીન રહી સંયમની આરાધના કરે એવું કરવાથી પણ મોક્ષ થઈ શકે છે. તેમાં સંદેહને સ્થાન નથી... (*) (૫) ભિક્ષ હર્ષ-શોકના ભાવોનો ત્યાગ કરી, બધા પરીષહોને જીતે અને કર્મોનો નાશ કરે. આ પ્રકારે ઉપર મુજબના આચરણો દ્વારા નિઃસંદેહપણે સમાધિ પ્રાપ્ત થાય છે. (૬) આ લોકમાં ઘણા જદા-જુદા અભિપ્રાયો અને માન્યતાવાળા લોકો રહે છે. તેનાથી દૂર જ રહેવું જોઈએ. તેવા લોકો સમાધિનો ફક્ત દેખાવ જ કરતા હોય છે પરંતુ સંયમ તપમાં પુરુષાર્થ કરી આત્મ નિગ્રહ કરતા નથી, તેથી તેઓ અંતમાં બજ અસમાધિ, અશાંતિ તેમજ ભવભ્રમણ ને પ્રાપ્ત કરે છે. (૭) હિંસા, જૂઠ વગેરે અઢાર પ્રકારના પાપોથી જ બધા પ્રકારના દુઃખ ઉત્પન્ન થાય છે. જ્ઞાની તેનો ત્યાગ કરી હંમેશાં શુદ્ધ સંયમમાં લીન રહે. ઇચ્છા અને આસક્તિની પકડમાંથી છૂટી, શરીરના મમત્વનો ત્યાગ કરી, જીવન-મરણની ઈચ્છા થી મુક્ત બની જાય.
આ પ્રકારે આત્મ સમાધિને પ્રાપ્ત કરી ભિક્ષુ સંસાર ચક્રથી મુક્ત બની જાય છે.
અગિયારમા અધ્યયનનો સારાંશ
(૧) કોઈ પણ જીવને દુઃખ ન દેવું, કોઈના પ્રત્યે વિપરીત આચરણ ન કરવું, વિરોઘ ભાવ ન રાખવો, જગતના બધાં જ પ્રાણીને દુઃખથી પીડિત જાણી, દુઃખથી આક્રંદ કરતા જાણીને અત્યન્ત અનુકંપા ભાવ રાખવો, તે અહિંસા ભાવ છે અને તે જ જ્ઞાનનો સાર છે. (૨) અહિંસા ભાવની સુરક્ષા માટે જ એષણાના શિક, પૂતિકર્મ વગેરે દોષથી રહિત આહારની ગવેષણા કરવી જોઈએ. (૩) અહિંસાના સંપૂર્ણ પાલનમાં ભાષાનો વિવેક પણ જરૂરી છે. સૂમ દષ્ટિએ ભિક્ષુ જ્યાં દયા, દાનના ભાવાની પ્રવૃત્તિમાં હિંસાનો સંભવ હોય છે, એવા મિશ્ર પ્રસંગોમાં કંઈપણ એકાંત પ્રરૂપણ, કથન કે પ્રેરણા ન કરે, પરંતુ મૌન રહે અને માધ્યસ્થ ભાવોમાં રહેતાં મુનિએ કોઈપણ પ્રકારના આગ્રહમાં પડવું નહીં. (૪) દાન આદિમાં ઘણા જીવોની હિંસા પણ થતી હોય છે અને ઘણાં જીવોને શાતા (*)... અહીં સંયમ સમાધિ માટે મુનિને એકલા વિચરણ કરવાની સ્પષ્ટ પ્રેરણા છે. સાથે જ તેમ વિચરણ કરવાથી પણ મોક્ષ થઈ શકે છે,” આ સત્ય તથ્ય છે અને અપેક્ષાએ શ્રેષ્ઠ પણ છે. શાસ્ત્રકારના આ શબ્દો એકલવિહારનો નિષેધ કરનારાઓને સ્પષ્ટ રીતે ચેલેંજ રૂપ છે અને તે લોકોને અસત્ય પ્રરૂપક સિદ્ધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org