________________
આ ઉપદેશ શાસ્ત્ર: ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ
(૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ-પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે, સાથે-સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર-કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચપંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારે ય જાતિના દેવોના ભેદપ્રભેદ, નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે. (૪) આ જીવ-અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે, ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય
મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે. (૫) મુનિ કોઈપણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્યવિનોદવાળી કાંદપિંકવૃત્તિ; મંત્ર કેનિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ; કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિલ્વિષિકવૃત્તિ; રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે. () જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. નોધ:વિસ્તાર માટે વાંચો– રાજકોટથી પ્રકાશિત શ્રી ગુરુપ્રાણ આગમ બત્રીસીના ઉતરાધ્યયન સૂત્ર ભાગ – ૧ અને ૨. છત્રીસ અધ્યયનોની ગાથાઓઃ સંખ્યા તુલના:અધ્યયન ગાથા સંખ્યા | ગાથા વિકલ્પ તેરા–જબૂદ્વીપ
ગુ–પ્રાણ | સંખ્યા વિગત વિનયશ્રત
પરીષહ ચાઉરંગીય અસંસ્કૃત અકામ મરણીય
ક્રમ
નામ
४८
૪૬
૨૦
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org