________________
જ ૧૯૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત -
() નિતિયા- કલ્પકાલની મર્યાદાનો ભંગ કરવાવાળા યા સદા એક સ્થાનમાં રહેવાવાળા. (૭) કાઠિયા– વિકથાઓની પ્રવૃત્તિ કરવાવાળા. (૮) પાસણિયા – દર્શનીય સ્થળ જોવા જવાવાળા. (૯) મામગા– આહાર, ઉપધિ, શિષ્ય, ગામ, ઘરોમાં કે શ્રાવકોમાં મમત્વ, મારુ મારુ એવા ભાવ રાખનારા. (૧૦) સંપારિયા- ગૃહસ્થના કાર્યોમાં સલાહ દેવા કે મુહૂર્ત આપવાની પ્રવૃત્તિ
કરવાવાળા,
શુદ્ધાચારીના નિર્ણયને માટે પણ મુખ્ય બે વાતો પર ધ્યાન દેવું જોઈએ. જેમ કે – ૧. જે વિના કારણ–પરિસ્થિતિ આગમ વિપરીત કોઈ પણ આચરણ કરવાનું ઈચ્છતો નથી. ૨. પોતાની પરિસ્થિતિ અમુક આગમ પાઠથી વિપરીત છે એવું ધ્યાનમાં આવતાં જ જો કોઈ વિશેષ પરિસ્થિતિ નહોય તો યથાસંભવ તત્કાલ તેને છોડી દેવા તત્પર રહે છે. માત્ર પરંપરાના નામથી ધકેલ પંચા નથી કરતો. તેને શુદ્ધાચારી સમજવો જોઈએ, ઉક્ત વિચારણાઓ પરથી નીચે દર્શાવેલ પરિભાષા બને છે. નિર્મિત થતી પરિભાષા - (૧) શુક્રાચારીઃ- જે આગમોક્ત સર્વે આચારોનું પૂર્ણપણે પાલન કરે છે કારણ વિના કોઈ અપવાદનું સેવન નથી કરતો; કોઈ કારણથી અપવાદરૂપ દોષનું સેવન કરવા પર તેનું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે; કારણ સમાપ્ત થવા પર તે પ્રવૃત્તિને છોડી દે છે અને આગમોક્ત આચારોની શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે “શુદ્ધાચારી” છે. (ર) શિથિલાચારી :- જે આગમોક્ત એક અથવા અનેક આચારોથી સદા વિપરીત આચરણ કરે છે. ઉત્સર્ગ અપવાદની સ્થિતિનો વિવેક નથી રાખતો. વિપરીત આચરણનું પ્રાયશ્ચિત્ત પણ લેતો નથી અથવા આગમોક્ત આચારોથી વિપરીત પ્રરૂપણા કરે છે, તે "શિથિલાચારી" છે.
આગમોક્ત વિધિ નિષેધો સિવાય ક્ષેત્ર કાલના દષ્ટિકોણથી જે કોઈ સમુદાયની સમાચારીનું ગઠન-ગુંથણી કરવામાં આવે છે, તેના પાળવાથી કે નહિ પાળવાથી કોઈ અન્ય સમુદાયવાળાઓને શુદ્ધાચારી કે શિથિલાચારી સમજવાનું ઉચિત નથી. જે સમુદાયમાં રહે છે, તેણે તે સંઘની આજ્ઞાથી તે નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એવા વ્યક્તિગત સમાચારીના કેટલાક નિયમોની સૂચિ આગળ આપવામાં આવશે. તે પહેલાં આગમ વિધાનોની સૂચિ આપવામાં આવે છે. સાધ્વાચારના કેટલાક આવશ્યક આગમ નિર્દેશઃ
અઢાર પાપનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org