SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત - પરિશિષ્ટ-૧૧ શિથિલાચાર અને શુદ્ધાચારનું સ્વરૂપ શાબ્દિક સ્વરૂપ ઃ સંયમ આચારનું શુદ્ધ પાલન શુદ્વાચાર છે. શિથિલતાથી અર્થાત્ આળસથી જાગૃતિની ખામીથી, શુદ્ધાશુદ્ધ રૂપથી, સંયમ આચારનું પાલન શિથિલાચાર છે. પ્રાચીન ભાષ્યાદિ ગ્રંથોમાં તેને માટે ‘શીતલ વિહારી’ અને ‘ઉધત વિહારી’ શબ્દોનો પ્રયોગ મળે છે. શીતલનો અર્થ સુસ્તીથી અને ઉદ્યતનો અર્થ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરનાર. આ પ્રમાણે સમજવાથી પ્રચલિત શબ્દ અને પ્રાચીન કાલના શબ્દ પ્રાયઃ એકાર્થવાચી થાય છે. જ્ઞાતા સૂત્ર આદિમાં આ જ અર્થ માટે ‘ઉગ્ગા, ઉગ્ગવિહારી તેમજ પાસસ્થા, પાસસ્ત્વવિહારી, ઓસણા, ઓસણ્ણવિહારી, કુશીલા, કુશીલવિહારી, સંસત્તા, સંસત્તવિહારી, અહાછંદા, અહાછંદવિહારી' શબ્દોનો પ્રયોગ થયોછે. –જ્ઞાતા, અ~~~ ઉગ્નવિહારી, ઉદ્યત વિહારી અને શુદ્ધાચારી એ ત્રણે લગભગ એક શ્રેણીના શબ્દ છે. પાસસ્થા, પાસદ્ઘવિહારી વગેરે શબ્દોના સ્વરૂપને એક શબ્દમાં કહેવા 'શીતલ વિહારી' અને શિથિલાચારી શબ્દ અલગ-અલગ સમયમાં પ્રયુક્ત થયા છે. અશુદ્ધ સ્વરૂપનું દિગ્દર્શન :- શુદ્ધાચાર કે શિથિલાચારની છાપ લગાવવી એ કોઈના વ્યક્તિગત અધિકારનો વિષય નહિ સમજવો જોઈએ. જેને જે મનમાં ગમે તે પોતાની સમાચારી અથવા નિયમ બનાવી લે અને તેને જો અન્ય ગચ્છવાળા પાલન ન કરે તેને શિધિલાચારીની છાપ લગાવી દેવી, એ ઉચિત ન કહી શકાય. કોઈ સમયે અમુક દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવની પરિસ્થિતિમાં કોઈ સમાચારી બનાવવામાં આવે, તેને અન્ય કાલમાં અને અન્ય પરિસ્થિતિમાં બીજા ગચ્છમાં પાલન ન કરનારને શિથિલાચારી કહેવાનું ઉચિત ન થઈ શકે. શુદ્ધ સ્વરૂપનું વિશ્લેષણ :-- પાંચ મહાવ્રત પાંચ સમિતિનું જે સ્પષ્ટ આગમ સિદ્ધ વર્ણન છે તથા આચાર શાસ્ત્રોમાં અને અન્ય શાસ્ત્રોમાં જે જે સંયમ વિધિઓનું સ્પષ્ટ વર્ણન છે; નિશીથ સૂત્ર વગેરેમાં જેનું સ્પષ્ટ પ્રાયશ્ચિત્ત વિધાન છે; તેમાંથી કોઈપણ વિધિ કે નિષેધથી વિપરીત આચરણ, વિશેષ પરિસ્થિતિ વિના, પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના વિના તેમજ શુદ્ધ સંયમ પાલનના અલક્ષ્યથી કરવું, શિથિલાચાર કહી શકાય છે. પરંતુ સમય સમય પર બનાવવામાં આવેલા વ્યક્તિગત કે સામાજિક સમાચારી સંબંધી નિયમોનું પાલન ન થઈ શકવાથી કોઈને શિથિલાચારી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy