________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૯ : પાસત્યાદિ સ્વરૂપ
|૧૮૧
સંભવ છે કે આ પ્રકારની સમજણથી જ ગુજરાતના વિભિન્ન સમાચારીવાળા સંપ્રદાયોમાં આજે પણ વંદન આદિ વ્યવહાર કરવામાં આવે છે. જેના સમાજમાં પ્રેમમય વાતારણને માટે અન્ય પ્રાંતોના શ્રમણોએ પણ આ બાબત પર ગહન વિચાર અને ચિંતન કરીને કોઈ ઉદાર નિર્ણય લેવો જોઈએ. જેથી જૈન સમાજમાં સંપ્રદાયવાદ, કાદવ ઉછાળવો, ઈર્ષા-દ્વેષ, નિંદાની પ્રવૃત્તિ, પરસ્પર વધતું જતું અંતર અને મનની મલિનતાની વૃદ્ધિ વગેરે અવગુણોમાં સુધારો થઈ શકે. સાથો સાથ પ્રેમ, એકતા, સહૃદયતા, ભાવોની શુદ્ધિ, શાંત સુંદર વાતાવરણ રહેવાથી ધર્મ સાધકોના આત્મ ગુણોનો વિકાસ થઈ શકે.
જુદા જુદા ગચ્છ અને વિભિન્ન સમાચારીવાળા આજે પણ પોતપોતાની ઈચ્છા અનુસાર પરસ્પર મૈત્રી સંબંધ અને વંદન વ્યવહાર રાખે છે. આ વ્યવહાર પણ ઉક્ત નિર્ણયને પુષ્ટ કરવાવાળો છે.
પોતે પોતાને શુદ્ધાચારી માનનારા શ્રમણ કોઈ પ્રકારની કલુષિતતા અથવા અન્ય વાતાવરણના કારણે પોતાની ઈચ્છા થવા માત્રથી જ પુન: વંદન વ્યવહાર બંધ કરી દે છે. જ્યારે આચાર તો તે બન્નેના પહેલાં અને પછી એજ હોય છે.
આમ વર્તમાનમાં વંદન વ્યવહારનો નિર્ણય આગમ ઉદ્દેશની આડમાં કષાયો અને ઈચ્છાઓ ઉપર મુખ્યત્વે આધારિત દેખાય છે. જેમ કે– સ્વતંત્ર સંપ્રદાયોવાળા પરસ્પર સમય સમય પર વંદન વ્યવહાર કરી લે છે અને કયારેક તોડી પણ દે છે.
સ્વતંત્ર સંપ્રદાયના ઉત્કૃષ્ટાચાર મુખી પૂ. શ્રમણ પણ પોતાની જ્યારે ઉદાર ભાવના હોય ત્યારે અન્ય સંઘના આચાર્ય કે પ્રમુખ શ્રમણને સવિધિ વંદન કરી લે છે. અભિવાદન વંદન કરી શકે છે પરંતુ તેમના જ શ્રાવક તેઓને અવંદનીય કહી દે છે. આ એક અવિચારી પણું છે. સાર:- ઉક્ત વિચિત્ર વ્યવહારમાન કષાય અને સંકુચિત માનસ તેમજ સ્વેચ્છાઓનું પરિણામ છે. નિગ્રંથ પ્રવચન જિનાજ્ઞાની આરાધનાને માટે તો ઉપર વર્ણિત સમન્વયાત્મક સૂચનાઓની વિચારણા કરીને તેની પરિપાલના કરવી જોઈએ.
૬. નિગ્રંથ નિર્ચથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા - | પાસત્કાદિ સ્વરુપ અને વિચારણા સંપૂર્ણ
આ પુસ્તકના ટાઈપ સેટ : ફોરકલર ટાઈટલ, મુદ્રક, બાઈન્ડર અને આ કાર્યોમાં સહાયક વગેરે પ્રાયઃ પ્રથમ આદિ પુસ્તકોની સમાન જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org