________________
કે
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૯ પાસત્યાદિ સ્વરૂપ
'૧૭૯
(૪) કીડિઓ આદિ જીવોયુક્ત અર્થાત્ જીવોની અધિકતાવાળા ઉપાશ્રયમાં રહેવું.
– આચા, શુ–૨, અ–૨. (૫) મળ-મૂત્ર પરઠવાની ભૂમિ રહિત ઉપાશ્રયોમાં રહેવું. –આચાઇ, ૨. દશ –૮ () કોઈ આવે નહિ, કોઈ દેખે નહિ; એવા સ્થાન સિવાય સ્થળમાં તેમજ નિષિદ્ધ સ્થળોમાં મળ-મૂત્રાદિનો પરિત્યાગ કરવો. –ઉત્ત–૨૪. નિ–૩.૧૫. (૭) પુસ્તકો અને શાસ્ત્રાદિને પોતાની પાસે રાખવા અને તે ઉપકરણોનું ઉભય કાલ પ્રતિલેખન નહિ કરવું. – નિશી, ઉ–૧ તથા ૨, આવ.૪ (૮) સામાન્ય રૂપે કોઈપણ લેખન કાર્ય કરવું. પુસ્તકનું પ્રકાશન કરાવવું, આ પ્રકાશન કાર્યમાં ભાગ લેવો અર્થાત્ સંશોધન ભૂલનો સુધારો કરાવવો યા સંપાદન કરવું, પ્રગટ અથવા ગુપ્તરૂપે પ્રેરણા કરવી. – દશવૈ–૪, પ્રથમ મહાવત. (૯) ઓપરેશન કરાવવું, સાવદ્ય ચિકિત્સા એવં ગૃહસ્થની સેવા લેવી.
-- આચા, –૨. અ–૧૩. ઉત્તરા, અ–૨, ગા—૩ર. (૧૦) ગૃહસ્થોને કોઈપણ પ્રયોજનથી આવવા માટે, જવા માટે અને બેસવા અથવા કોઈ કાર્ય કરવા વગેરેનું કોઈપણ શબ્દોમાં કહેવું કે પ્રેરણા કરવી.
– દશ –૭, ગા–૪૭. (૧૧) અલ્પ વર્ષામાં અથવા સંપાતિમ ત્રસ જીવોના વરસવાના સમયે ગોચરી આદિ લેવા જવું. – દશવૈ–પ (૧૨) જલદી-જલદી ચાલવું કે પૂરી રીતે અપ્રમાર્જિત ભૂમિમાં ચાલવું.
- દશા–૧; તથા દશવૈ–૫. (૧૩) સુખપૂર્વક ગ્રામાનુગ્રામ નહિ વિચરતાં ઉગ્ર (લાંબા લાંબા) વિહાર કરવા.
– ભગવતી આદિ સૂત્ર (૧૪) આધાકર્મી યા મિશ્રજાત દોષ યુક્ત ગરમ પાણી અથવા ધોવણ પાણી ગ્રહણ કરવું. – આચા, શુ–૨, અ–૧. (૧૫) ભૂખ વગેરે કારણનો વિચાર કર્યા વિના આહાર કરવો તથા રોગ–આંતક વગેરે કારણ હોવા છતાં પણ આહાર ત્યાગ નહિ કરવો, પરંતુ ઔષધ ઉપચાર કરવો તથા ડોકટરો-વૈધોની આવજા કરાવવી. – ઉત્ત–૨૬ (૧૬) બધા ઉપકરણોનું તેમજ પાત્રોનું અને પુસ્તકોનું બને સમય પડિલેહણ નહિ કરવું કે પડિલેહણ પ્રમાર્જન વિધિપૂર્વક નહિ કરવું. – આવ –૪ (૧૭) પરપરિવાદ– બીજાઓના અવગુણ અપવાદ નિંદા કરવી અર્થાત્ પંદરમાં પાપનું સેવન કરવું. કોઈનો તિરસ્કાર, બહિષ્કાર કે અપમાન કરવું. જૂઠો આરોપ લગાવવો. – સૂય–૧.૨.૨.૨. (૧૮) કોઈપણ સાધુસાધ્વી કે ગૃહસ્થ અથવા પ્રતિપક્ષી પ્રત્યે અશુભ મન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org