________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩: બાર વ્રત
૧૧૯
પરિશિષ્ટ-૩
3
શ્રાવકના બાર વ્રત
રફીક
આગાર ધર્મ-શ્રાવકવ્રત -
તીર્થકર પ્રભુએ અપાર કરુણા કરીને ગૃહસ્થ ધર્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સાધક જીવનનો સાચો રાહ તો ઘરબારનો ત્યાગ કરીને સંયમ લેવો તે જ છે, સંપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો છે. તોપણ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુએ સારી રીતે જાણ્યું છે કે ધર્મને હૃદયંગમ કરીને પણ અનેક આત્માઓ સંયમનો સ્વીકાર કરી શકતા નથી. ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓમાં રહેવા છતાં જીવોને પોતાની તે અવસ્થામાં પણ સાધનાનો અનુપમ અવસર મળવો જોઈએ. જેનાથી તે તેમાં પોતાના ધર્મ જીવનની પૂર્ણ આરાધના કરી શકે. માટે પ્રભુએ મહાવ્રતોની સાથે સાથે અણુવ્રતોનું અર્થાત્ શ્રમણ ધર્મની સાથે જ ગૃહસ્થ ધર્મ (શ્રાવકવ્રતો) નું નિરૂપણ કર્યું છે. શ્રાવકના વ્રતોનો અધિકાર – મનુષ્યોના ભીષણ સંગ્રામમાં જાવાવાળા રાજા હોય અથવા મોટા વ્યાપારી શેઠહોય અથવા કુંભકાર હોય, ચાહે કોઈની માંસાહારી
સ્ત્રી હોય અથવા ૧૩સ્ત્રીઓ હોય(મહાશતક), અંબડ સન્યાસી જેવા હોય અથવા ગોશાલક પંથી નિયતિવાદી (શકપાલ) હોય, જેને હજારો બેલગાડીઓ ચાલતી હોય અથવા ૧૦-૧૦ જહાજ જેને ત્યાં ચાલતા હોય, સ્ત્રી હોય અથવા પુરૂષ હોય તે શ્રાવકના વ્રતોનો સહજ રીતે સહર્ષ સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતોની મૌલિક સંરચના પણ વિશાળ દષ્ટિકોણથી થયેલ છે. તેમાં કોઈને કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી. માટે શ્રાવકના બારવ્રત સ્વીકાર કરવામાં કોઈપણ મુમુક્ષુ આત્માએ આળસ કે પ્રમાદ કરવો ન જોઈએ. અપ્રતિબંધ :- શ્રાવકના વ્રત ધારણ કરવામાં કોઈને માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તે પોતાની સુવિધાનુસાર હિનાધિક કોઈપણ છૂટ કોઈપણ વ્રતમાં રાખી શકે છે. ચાહે તે મૌલિકવ્રત હોય અથવા અતિચાર હોય, શ્રાવક કોઈ પણ વ્રતને સર્વથા ધારણ ન કરે અથવા કોઈપણ વ્રત ઇચ્છા પ્રમાણે છૂટ રાખીને ધારણ કરે, તેમાં કોઈ જાતની રોક-ટોક કે પ્રતિબંધ નથી. શ્રાવકોના વ્રતોમાં અપવાદોનો કોઈ અંતિમ એક રૂપ નથી. એક જ અહિંસાવ્રત અનેક પ્રકારના અપવાદોની સાથે સ્વીકાર કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓની ક્ષમતાનું સામર્થ્ય પણ વિવિધ પ્રકારનું હોય છે, તેઓના ઉત્સાહ, આત્મબલ, પરાક્રમ એક જેવું હોતું નથી, તે વ્યક્તિઓના ક્ષયપક્ષમ અનુરૂપ અનેક પ્રકારનું થઈ શકે છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org