________________
૧૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૩. સૂયગડાંગ સૂત્ર, શ્રુ-૧, અધ્ય~ ૧૪ માં :- અલ્પ દીક્ષા પર્યાયવાળા ને સ્વતંત્ર વિહાર નિષેધ છે.
૪. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૩, સૂ॰ ૧૧-૧૨ માં ઃ— નિર્દિષ્ટ નવદીક્ષિતનો (૩ વર્ષ સુધીની દીક્ષા પર્યાય) તેમજ ચાલીસ વર્ષ સુધીની ઉંમરવાળા ભિક્ષુએ આચાર્યઉપાધ્યાયની નિશ્રા વિના વિચરણ કરવું નિષિદ્ધ બતાવેલ છે.
આ વિહાર આગમમાં નિષિદ્ધ છે. આ વિહારચર્યાને ધારણ કરનાર યોગ્યઅયોગ્ય કોઈ પણ ભિક્ષુ હોઈ શકે છે અને તે બધાનું આચરણ આગમ વિરુદ્ધ છે. (૩) કલ્પનીય એકલવિહારઃ
દશવૈકાલિક સૂત્ર ચૂલિકા-ર, ગાથા-૧૦ તથા ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય.-૩ર, ગાથા-૫ માં દર્શાવેલ સપરિસ્થિતિક એકલ વિહાર ચર્ચા કલ્પનીય છે. (યોગ્ય છે). આચારાંગ સૂત્ર, શ્રુત—૧, અ—૬, ઉર માં નિર્દિષ્ટ શુદ્ધ ગવેષણા અને શુદ્ધ સંયમ રુચિથી ધારણ કરેલી એકલવિહાર ચર્ચા કલ્પનીય છે તથા સૂયગડાંગ સૂત્ર શ્રુ-૧, અધ્ય-૧૦, ગાથા--૧૨ માં દર્શાવેલ મોક્ષ પ્રાપ્તિના આશ્વાસન સાથેની એકલ વિહાર ચર્યા કલ્પનીય-યોગ્ય છે.
ઓઘનિર્યુક્તિ, બૃહત્કલ્પ ભાષ્યની પીઠિકા તથા વ્યવહાર ભાષ્યમાં સકારણ કરવામાં આવેલ ગીતાર્થેની એકલ વિહાર ચર્ચાનું વિધાન છે.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા, ચાલીસ વર્ષની ઉંમરવાળા તથા આચારાંગનિશીથ સૂત્રને અર્થ-પરમાર્થ સહિત કંઠસ્થ ધારણ કરનાર એકલ વિહાર સ્વીકાર કરી શકે છે કારણકે તે આગમ સંમત છે. આ યોગ્યતા પૂર્વે સકારણ પણ કરવામાં
આવેલ એકલ વિહાર આગમ વિરુધ્ધ છે.
સાર-સૂચન
વર્તમાનમાં અયોગ્ય એકલ વિહારચર્યાવાળાને લક્ષ્યમાં રાખીને એકાંગી દૃષ્ટિથી એકલ વિહારનો સર્વથા નિષેધ કરવામાં આવે છે. તેમજ આગમોના નામે એકાંત અકલ્પનીય કહેવામાં આવે છે અને હાલમાં એકલ વિહારનો વિચ્છેદ છે એવું માનવામાં આવે છે તે સર્વથા અનુચિત કથન કહેવાય અને તે આગમ વિપરીત પ્રરૂપણ છે.
તેથી આ નિબંધમાં, સંગ્રહિત આગમયુક્ત અનેકાંત દષ્ટિકોણને સમજીને તથા એકાંત કે આગમ વિરુધ્ધ પ્રરૂપણોને મહાપાપ સમજીને સાધુસાઘ્વીજીઓએ તથા ચતુર્વિધ સંઘે વિવેકયુક્ત કથન કે લેખન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org