SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ રપ૧ ગયો. ભયંકર બીમારીના કારણે ભંગ કરેલા વ્રતોની તે આલોચના ન કરી શક્યો. એ જ દર્દમાં તેનું મૃત્યુ થયું. ધર્મથી પતિત થવાના કારણે એક જંગલમાં તે ગેંડા રૂપે ઉત્પન્ન થયો. પોતાના પૂર પરિણામના કારણે તે જંગલી જનાવરોને મારી નાંખવા લાગ્યો. ધીરે ધીરે એ રસ્તા પર આવતાં જાતાં મનુષ્યને પણ મારી નાંખતો હતો. એક વાર જૈન મુનિઓ એ જંગલમાંથી વિહાર કરીને જઈ રહ્યા હતા. ગુંડાએ જેવા એમુનિને દેખ્યા કે તરત જ ક્રોધથી ધમધમાયમાન થઈને મુનિઓને મારવા માટે દોડ્યો. પરંતુ મુનિઓના તપ, વ્રત અને અહિંસા આદિ ધર્મના પ્રભાવે ગેંડો ત્યાં સુધી પહોંચી શક્યો નહીં અને પોતાના કાર્યમાં તે અસફળ રહ્યો. ગેંડો વિચારવા લાગ્યો– આજ સુધીમાં હું દરેક કાર્યમાં સફળ જ થયો છું. આજે હું શા માટે અસફળ થયો? તેનું કારણ તે શોધવા લાગ્યો. ધીરે ધીરે તેનો ક્રોધ શાંત પડ્યો અને તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનના પ્રભાવે તેણે પોતાનો પૂર્વભવ જોયો. પોતે કરેલા વ્રતોનો ભંગ જાણીને તેણે ખૂબ જ પશ્ચાત્તાપ કર્યો અને એ જ સમયે તેણે અનશનવ્રતનો સ્વીકાર કર્યો. આયુષ્ય પૂર્ણ કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૧) સૂપ ભેદન :-- રાજા કુણિક અને વિહલ્લકુમાર બન્ને રાજા શ્રેણિકના જ પુત્રો હતા. શ્રેણિકે પોતાના જીવનકાળમાં જ (દેવતાઈ) સિંચાનક હાથી અને દેવતાઈ) વંકચૂડ હાર બન્ને વિહલકુમારને આપી દીધા હતા અને કુણિક રાજા બની ગયો હતો. વિહલ્લકુમાર પ્રતિદિન પોતાની રાણીઓની સાથે હાથી પર બેસીને જળક્રીડા કરવા માટે ગંગાનદીના કિનારા પર જતા હતા. રાણીઓને પોતાની સૂંઢ વડે ઉપાડીને હાથી વિવિધ પ્રકારે મનોરંજન કરાવતો હતો. વિહલ્લકુમાર તથા તેની રાણીઓની મનોરંજક ક્રીડાઓ જોઈને નગરજનો તેની ખૂબ પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે રાજ્ય લક્ષ્મીનો સાચો ઉપભોગ તો વિહલ્લકુમાર જ કરે છે. રાજા કણિકની રાણી પદ્માવતીના મનમાં આ બધી વાતો સાંભળીને ઈર્ષ્યા થતી હતી. તે વિચારતી હતી કે મહારાણી હું છું છતાં મારા કરતા સવિશેષ સુખવિહલ્લકુમારની રાણીઓ ભોગવે છે. એક દિવસ પદ્માવતીએ પોતાના પતિદેવ રાજા કૃણિકને કહ્યું, જો સિંચાનક હાથી અને વંકચૂડ હાર મારી પાસે ન હોય તો હું મહારાણી કેવી રીતે કહેવડાવી શકે? મારે એ બન્ને વસ્તુ જોઈએ છે." ફેણિકે પહેલા તો પદ્માવતીની વાત પર ધ્યાન આપ્યું નહીં. પરંતુ રાણીના અતિ આગ્રહથી કુણિકે વિહલ્લકુમારને કહ્યું – તું મને હાથી અને હાર આપી દે. વિહલ્લકુમારે કહ્યું – જો આપ હાથી અને હાર લેવા ઈચ્છતા હો તો મારા ભાગનો રાજ્યનો હિસ્સો મને આપી દો.” કણિક એ બાબતે તૈયાર ન થયો પણ હાથી અને હારવિહલ્લકુમાર પાસેથી પરાણે લઈ લેવાનો તેણેનિશ્ચય કર્યો. વિહલકુમારને જાણવા મળ્યું કે કણિકરાજા મારી પાસેથી હાથી અને હાર પડાવી લેશે, માટે મારે અહીં રહેવું સલામત નથી. એમ વિચારીને તે પોતાની રાણીઓ સાથે હાથી અને હાર લઈને પોતાના નાના(દાદા) ચેડા રાજાની પાસે વિશાલા નગરીમાં ચાલ્યો ગયો. રાજા કુણિકને આ વાતની ખબર પડી. તેથી તેને ખૂબ જ ક્રોધ આવ્યો અને ચેડા રાજાને તેણે એક દૂત દ્વારા સંદેશો મોકલ્યો- રાજ્યની શ્રેષ્ઠ વસ્તુઓ રાજાની જ હોય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy