SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] જ્યાં સુધી જશે નહિ ત્યાં સુધી શાંતિ નથી, ત્યાં સુધી સમજદારી નથી, સમ્યક દર્શન નથી. સાંજે યુથ હોલમાં “એલ ફેઈથીના ઉપક્રમે પૂ. મુનિશ્રીનું પ્રવચન જાયુ. પ્રવચનો વિષય હતે. “યુવક એક શકિત.” માનવી વિચાર અને વર્તનમાં જયાં સુધી યુવાપણું જાળવે છે, યૌવનસુલભ ઉલ્લાસ દાખવે છે ત્યાં સુધી તેનામાં તાઝગી અને શકિત જોવા મળે છે. તનનું નહિ, મનનું વૃદ્ધત્વ એટલે જ વિનાશ. જીવન કે જગતમાં તાઝગી હેવી જરૂરી છે અને તે આપશે યુવક અને યુવતી. જયાં સુધી યુવકપણું જળવાશે ત્યાં સુધી પ્રગતિ અને વિકાસ સધાયા જ કરશે. જીવન છવાયા કરશે. વિશાળતા અને આત્મીયતા આવ્યા જ કરશે. “જીવનને સાચો આનદ આ છે. પિતે. માનેલા ઉદેશને ખાતર, આદર્શને ખાતર અર્પિત થઈ જવું” આ સુંદર પડકાર જગતના ચેકમાં કર્યો આ મહાન ચિન્તકેઃ આવા શકિતશાળી આત્મવાન થવું તેમાં જ જીવનની મેજ અને સાર્થકતા છે. પુનશ્ચ અમેરિકા. પૂ. મુનિશ્રી ચિત્રભાનુ તા. ૨૧-૭૧ ના રોજ લેસ એન્જલિસમાં છેલ્લું પ્રવચન આપી મુબઈ તરફ ઉપડી ગયા. તેઓ શ્રી પિતાની પ્રભાવક વાણીની એવી સુવાસ પાછળ મૂકી ગયા હતા કે ધ ટેમ્પલ એફ અન્ડર સ્ટેડિંગના સૂત્રધાર સમક્ષ લેકે તરફથી ચેકબદ વિનતીઓ આવી પડી અને પૂ. મુનિશ્રીની વાણીને વધુ લાભ મળી શકે તે માટે એકબર તા. ૧૧, ૧૨ અને ૧૩ મીએ કેમ્બ્રિજમાં જન્મેલી પરિષદમાં પણ પૂ. મુનિશ્રીને નિમત્રવાનું નક્કી થયું. આમ પૂ. મુનિશ્રી ચિત્રભાનુ એ ભારતમાં પગ મૂકે કે પાછળ પાછળ અમેરિકાથી બીજું નિમંત્રણ અને ટીકીટ આવી પડ્યાં પૂ. મુનિશ્રીની વિશિષ્ટ વ્યકિત રૂપે વરણી કરવામાં આવી હતી, એટલે સંસ્થાના પ્રમુખ તરફથી પણ પૂ. મુનિશ્રીને આ નિમત્રણને સ્વીકાર કરવા ખાસ વિનંતી થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004921
Book TitleChitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Original Sutra AuthorN/A
AuthorKantilal N Shah Mumbai
PublisherKantilal N Shah Mumbai
Publication Year1972
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy