SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાતત્ત્વીય સ ંશોધન 5 કર્યા. સેક્રેડ બુક આફ ધી જૈનસ્' ગ્રંથમાળામાં અનેક દિગમ્બર જૈન ગ્રંથાના અનુવાદો આરાથી પ્રગટ થયા. આ ઉપરાંત અત્યારે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશન પ્રવૃત્તિ ચાલી રહી છે. દિગમ્બરોમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ઘણા જૈન ગ્રંથાનુ વ્યવસ્થિત સાધન અને સપાદન થયું. ઈ. સ. ૧૯૦૪માં શાસ્ત્રીય કે ધાર્મિક જૈન પ્રથા પ્રગટ કરવા સામે વિરાધ થતા હતા, ત્યારે શ્રી નાથૂરામજી પ્રેમીએ હિન્દી ગ્રંથરત્નાકર શ્રેણી દ્વારા મહત્ત્વના ગ્રંથા પ્રગટ કર્યા અને ‘જૈન હિતેષી’ અને જૈન મિત્ર'નુ' સંપાદનકાર્ય કર્યું. એમણે ત્રીસ જેટલા ગ્રંથાની રચના કરી. શ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલી યશેાવિજય જૈન સ ંસ્કૃત પાઠશાળા પાસેથી શ્રી યશોવિજયજી ગ્રંથમાળા ઉપરાંત ગુજરાતને ત્રણ વિદ્યાના મળ્યા. દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી ૫. સુખલાલજી, જૈન પ્રાકૃત ગ્રંથાના સંશોધક પ’. બેચરદાસજી અને પં. હરગોવિદાસ શેઠ, બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાને આ સમય હતો. આ અરસામાં જ સ્થપાયેલા બનારસના સ્યાદ્વાદ મહાવિદ્યાલયે દિગમ્બર સંપ્રદાયના વિદ્વાને તૈય ર કરવાનું ઘણું મેટુ કામ કર્યું. આ સદીમાં પુરાતત્ત્વીય સાધન અને પ્રકાશનના ક્ષેત્રે પણ મહત્ત્વનું કા થયું છે. રાઇસ ( Rice ), હુલ્લે, ફિલ્હોન (Kielhorn ), પીટર્સન ( Peterson ), ફર્ગ્યુČસન (Fergusson) અને બર્જેસે ( Burgess) જૈન ધર્માંનાં મદિરે, શિલાલેખે! અને હસ્તપ્રતા વિશે સ ંશોધન કર્યું.... મથુરાના કંકાલી રીક્ષાના ઉત્ખનનમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્માં વિશેની પુરાતત્ત્વની ઉત્તમ સામગ્રી મળી. આની સાથેસાથ જૈન ઇતિહાસની કેટલીક મહત્ત્વની કડી પણ હાથ લાગી, જ્યારે બસનું સચિત્ર પુસ્તક Temples of Satrunjaya' સીમાચિહ્નરૂપ ગણી શકાય. જૈન ધર્મીના ઈતિહાસ અને પુરાતત્ત્વ વિશેનું જ્ઞાન વિસ્તાર પામ્યું, એની સાથેાસાથ ઈ. સ. ૧૯૦૬માં યાકોબીએ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ મૂત્રને અંગ્રેજીમાં અનુવાદ કરતાં જૈનસિદ્ધાંતની ગવેષણા પણ શરૂ થઈ. યાકેાખીના શિષ્યા કિલ અને પ્લાઝેનાપે આ કાર્ય આગળ ધપાવ્યું. શુથિંગ, હ લ અને ગૅરિના જેવા અનેક સંશોધકોએ પણ એ કાર્ય કર્યું, એમાંય 6. प्रेमी अभिनंदन ग्रंथ, प्रकाशक : प्रेमी अभिनंदन ग्रंथ समिति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004919
Book TitleGat Saikani Jain Dharmni Pravruttio
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy