________________
પ્રતિમાઓ તમને પાછી સોંપણું, અન્યથા પ્રભાતે સમગ્ર જનમેદની વચ્ચે જાહેરમાં આ પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાંખશું.”
સમગ્ર શ્રાવકવર્ગ ચિંતિત બન્યો, બ્ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? ” સૌ શોકાતુર બની ગયા. ઉષાના તેજકિરણોએ અંધકારની ચાદરને દૂર ખસેડી. આજે તે અનાર્યોના આનંદનો પાર ન હતો. રાત્રે એકપણ પ્રતિમાએ પરચો બતાવ્યો ન હતો, તે વાત શ્રાવકવર્ગને જણાવીને કહ્યું, “આ તમારા પથ્થરના પૂતળા આખી રાત પથ્થરની માફક જડ જ રહ્યા છે, નથી તો તેમના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે, નથી તો તેમનું એક રૂંવાડુ પણ ફરક્યું, હવે તેના ચૂરેચૂરા થતાં જોવાના પરમસૌભાગ્યનો અવસર આવી ગયો છે, તેના માટે તૈયાર થઇ જાઓ.”
શ્રાવકવર્ગમાં ભયનો સોંપો પડી ગયો. સૌ મંત્રમુગ્ધ થઇ ગયા, હવે શું થશે? આ પ્રભુજીની પ્રતિમાના ચૂરેચૂરા થતાં પહેલાં તો અમારું પ્રાણપંખેરૂ ઉડી જાય તો સારું! સૌ સૂરિવર પાસે જઇ આજીજી કરવા લાગ્યા, “હવે આપ જ અમારા શરણાધાર છો ગુરૂદેવ! ગમે તેમ કરી આ પ્રતિમાના ચૂરેચૂરા થતાં અટકાવો!”
સૂરિવર આ ઘટનાનો વૃતાંત સાંભળીને ગંભીર બન્યા, તાત્કાલિક બાદશાહને વિસ્તારથી વાત કરી. બાદશાહ તે ધર્મઝનૂનીઓના આ કારસ્તાનથી સંપૂર્ણ અજ્ઞાત હતાં. પરંતુ આ હકીકત જાણીને તેને ગઇ રાત્રીએ પોતાને આવેલા સ્વપ્નની ખૂટતી કડી અહીં જોડાતી હોય તેનો અણસાર આવ્યો. રાજપુરૂષોને તાત્કાલિક તે ધર્મઝનૂની અનાર્યોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ ફરમાવ્યો.
બાદશાહ સલામતનું આમંત્રણ સાંભળી અનાર્યો પણ હોંશે હોંશે આવ્યા. રાત્રિ દરમ્યાન બનેલ ઘટનાદિ વિગત જણાવીને બાદશાહને કહેવા લાગ્યા, “આ મૂર્તિ વગેરેના પ્રભાવની વાત તો બકવાશ છે, મહારાજા! ગઇ કાલે આપ તો છેતરાઇ ગયા છો! આ કાળા ભૂતડાં તો આખી રાત મુંગા જ રહ્યા છે!” બાદશાહ ગંભીર થઇને કહે, “આ પ્રભાવ વગેરેનો અનુભવ કિસ્મતમાં હોય તો થાય! અરે! આજે જ રાત્રે મને ખ્વાબમાં એક ગંભીર અનુભવ થયો. બાદશાહ! ખ્વાબમાં શું કોઇ પ્રભાવ જોયો?” અનાર્યો બોલ્યા.
બાદશાહ કહે, “હા! આજે રાત્રે આ ભૂતડાંઓએ મને ભયંકર ચેતવણી આપીને સાવધાન કર્યો કે, જો કાલે સવારે તમારા ધર્મઝનૂની અનાર્યો દ્વારા જિનપ્રતિમાને લેશમાત્ર પણ નુકશાન પહોંચાડવામાં આવશે તો તમે તમારા ખુદાને યાદ કરી લેજો પછી ઝહનમમાં તમારો ખુદા મળવાનો નથી.
બાદશાહ સલામતની આ ગંભીર વાતો સાંભળીને તે અનાર્યોના તો મોતીયા મરી ગયા કે, જો હવે રાજા ખફા થશે તો
Jain Education International
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org