SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ MAY અને બીજું પડખું ફેરવતાં વળી ૧૬ સાગરોપમનો કાળ પસાર થાય તેવા ૩૩ સાગરોપમના આયુષ્યને અગાધ સુખમાં સૂતાં સૂતાં જ પૂર્ણ કરે છે, તેના કરતાં પણ અનંતગણું સુખ મોક્ષમાં છે, યોગથી પવિત્ર એવો પુરુષ કર્મનો નાશ થવાથી પોતે જ જાણી શકે; પરંતુ વચનવડે વર્ણન ન થઈ શકે એવું મુક્તિસુખ સિદ્ધના જીવો પામે છે.” આ દેશના સમયે નરવાહન રાજાનો પાંચમા દેવલોકનો ઈન્દ્ર થયેલ આત્મા વીતરાગની વાણીનું સુધાપાન કરીને, સ્વર્ગના સુખની નિઃસ્પૃહા કરીને, સર્વજ્ઞ ભગવંતને નમન કરીને પૂછે છે, “હે સ્વામી! મારું આ ભવસંસારનું પરિભ્રમણ ક્યારેય અટકી જશે કે નહીં? આપે વર્ણવેલ મુક્તિરૂપી મેવાનું આસ્વાદ કરવાનો લ્હાવો મને મળશે કે નહીં?” તેની શંકાનું નિવારણ કરતા ધર્મસાર્થવાહ એવા પ્રભુ કહે છે, “હે બ્રહ્મદેવ! તમે આવતી અવસર્પિણીમાં શ્રીઅરિષ્ટનેમિ નામના બાવીસમાં તીર્થંકર થવાના છે, તેના વરદત્તનામે પ્રથમ ગણધરપદને પામી, ભવ્ય જીવોને બોધ પમાડી, સર્વકર્મનો ક્ષય કરી, રૈવતગિરિના આભૂષણ બની પરમપદને પામશો. આ નિઃસંશય વાત છે. પ્રભુના આ અમૃતવચનોને સાંભળીને આનંદવિભોર બનેલો બન્મેન્દ્ર સાગરપ્રભુને અનેરા આદરપૂર્વક અભિવંદન કરી પોતાના દેવલોકમાં જાય છે. “અહો! મારા અજ્ઞાનરૂપી અંધકારનું છેદન કરનારા, મારા ભવસંસારના તારણહાર શ્રી નેમિનિરંજનની ઉત્કૃષ્ટ રત્નોની મૂર્તિ બનાવી તેમની ભક્તિદ્વારા મારા કર્મોનો ક્ષય કરું એવા ભાવ સાથે બાર-બાર યોજન સુધી જેની કાંતિ ફેલાતી તેવી અંજન સ્વરૂપ પ્રભુની વજમય પ્રતિમા બનાવી દસ સાગરોપમ સુધી નિશદિન શાસ્થત પ્રતિમાની જેમ સંગીતનત્ય-નાટકાદિ સાથે ત્રિકાલ તેની ઉપાસના કરે છે. તે રીતે શ્રી નેમિનાથની ભક્તિમાં ઉત્તરોત્તર ઉત્તમ ભાવ કેળવતાં કવિતા ~ બાપુના ૨૦ % S « ••• • - • -- સ્વ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને અનેક મોટા મોટા ભવો પામીને તે નેમિનાથ પ્રભુનાં સમયમાં પુણ્યસાર નામે રાજા થાય છે. “આ પુણ્યસાર રાજા પૂર્વ ભવોમાં પોતે કરાવેલ દેવાધિદેવની મૂર્તિની દસ-દસ સાગરોપમના કાળ સુધી કરેલ ભક્તિના પ્રભાવે મારા વરદત્તનામના પ્રથમ ગણધર થયા અને શિવરમણીના સંગમાં શાશ્વત સુખની મોજ માણશે.” સમવસરણમાં દેશના દરમ્યાન શ્રી નેમિનાથ પ્રભુના આવા મધુરવચનો સાંભળી તે વખતના બ્રહ્મદ્ ઊઠીને પરમાત્માને નમસ્કાર કરીને જણાવે છે કે “હે ભગવંત! આપની તે મૂર્તિને હું આજે પણ પૂજુ છું, અને મારા પૂર્વજ ઇન્દ્રોએ પણ તેની ભક્તિથી ઉપાસના કરેલ છે, પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થનારા બધા જ બ્રહ્મન્દ્ર આપની તે પ્રતિમાની પૂજા ભક્તિ કરતાં MEHTAT FILERTIFIEttp:/TTLE TET-1 ::::::::::: பாராராபாபாபாபாபாபாபாபாபநTHபாயா, 1 - જ ા છે : એક જ નું G, અમર છે કાલ પર - કિary.org :
SR No.004918
Book TitleChalo Girnar Jaie
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti Junagadh
Publication Year2008
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy