________________
જજ
છે '
v3
w
IS A RARY ,
RAKE
૩૧, ભદ્રશાલ વગેરે વનમાં સર્વઋતુઓમાં બધી જ જાતનાં ફુલો ખીલેલાં હોય છે, જલ અને ફલ સહિત ભદ્રશાલાદિ વનથી
વીંટળાયેલો આ રમણીય ગિરનાર પર્વત ઇન્દ્રોનો એક ક્રિીડાપર્વત છે. ૩૨, ગિરનાર મહાતીર્થમાં દરેક શિખરોની ઉપર જલ, સ્થળ ને આકાશમાં ફરનારા જે જે જીવો હોય છે તે સર્વે ત્રણ ભવમાં
મોક્ષે જાય છે. ૩૩, ગિરનાર મહાતીર્થ ઉપર વૃક્ષો, પાષાણો, પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો છે, તે વ્યક્ત ચેતના નહિ
હોવા છતાં આ તીર્થના પ્રભાવથી કેટલાક કાળે મોક્ષે જનારા થાય છે. ૩૪, જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રદાન દ્વારા સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ | સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ૩૫, ઉત્તમ એવા ભવ્યજીવો ગિરનાર મહાતીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશા સુર, અસુર, નર અને
નારીઓથી સેવવા યોગ્ય થાય છે. ૩૬, ગિરનાર મહાતીર્થમાં જે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે તે સર્વસુખોને ભોગવી પરમપદને અવશ્ય પામે છે. ૩૭, જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે તે શીવ્ર શિવસુખને પ્રાપ્ત કરે છે. ઘેરબેઠા પણ
શુદ્ધ ભાવપૂર્વક ગિરનારનું ધ્યાન ધરનાર ચોથાભવે મોક્ષપદને પામે છે. ૩૮, ગિરનાર ગિરિવરના પવિત્ર શિખરો, સરિતાઓ, ઝરણાઓ, ઘાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારા થાય છે. ૩૯, ગિરનાર ગિરિવર ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા અવસરે પ્રભુજીના સ્નાત્રાભિષેક માટે ત્રણેય જગતની નદીઓ ( વિશાળ એવા ગજેન્દ્રપદકુંડમાં ઉતરી આવી હતી. ૪૦, ગિરનાર ગિરિવરમાં મોક્ષલક્ષ્મીના મુખરૂપે રહેલા ગજેન્દ્રપદ (ગજપદ) નામના કુંડના પવિત્રજલના સ્પર્શમાત્રથી જીવોના
અનેક ભવના પાપો નાશ પામે છે. ૪૧, ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલથી સ્નાન કરીને જેણે જિનેશ્વર પરમાત્માને સ્નાન (પ્રક્ષાલ) કરાવેલ છે, તેણે
કર્મમળવડે લેપાયેલા પોતાના આત્માને પવિત્ર કર્યો છે. ૪૨, ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલનું પાન કરવાથી કામ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસુતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા
બાહ્યરોગો પણ અંતરના કર્મમલની પીડાની જેમ નાશ પામે છે.
Std 1
1THE TENTHURT
*=:
HTTTEETH TEETHTTTEE
=HTTrirrit TETTETHE EARTH: TET THE TEE: THE
Jain Education
temational
For Private & Personal Use Only
www.jainelibrary.org