________________
૧,
ગિરનારનો મહિમા ન્યારો
એનો ગાતા નાવે આરો.....
ગિરનાર ગિરિવર પણ શત્રુંજયગિરિની માફક પ્રાયઃ શાશ્વત છે. પાંચમા આરાના અંતે જ્યારે શત્રુંજયની ઊંચાઇ ઘટીને સાત હાથ થશે ત્યારે ગિરનારની ઊંચાઇ સો ઘનુષ્ય રહેશે.
૨, રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાથી તે પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન અપાવનારું છે. ૩, આ મનોહર એવો ગિરનાર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે તે વિસ્તારથી મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર અને ગઢ જેવા આજુબાજુમાં અન્ય નાના પર્વતો આવેલા છે. જાણે કે ચાર દિશામાં ઝરણાં વહેતાં હોય તેવા ચાર દ્વારોરૂપ ચાર પર્વતો શોભી રહ્યા છે.
૪, ગિરનાર ઉપર અનંતા તીર્થંકરો આવેલા છે અને મહાસિદ્ધિ અર્થાત મોક્ષપદને પામેલા છે. બીજા અનંતા તીર્થંકરના દીક્ષાકેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયા છે. તેમજ અનેક મુનિઓ પણ મોક્ષપદને પામ્યા છે અને ભવિષ્યમાં પામશે.
૫,
ગઇ ચોવીસીમાં થયેલા ૧, શ્રી નમીશ્વર ૨, શ્રી અનિલ ૩, શ્રી યશોધર ૪, શ્રી કૃતાર્થ ૫, શ્રી જિનેશ્વર ૬, શ્રી શુદ્ધમતિ ૭, શ્રી શિવંકર અને ૮, શ્રી સ્પંદન નામના આઠ તીર્થંકર ભગવંતોના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક અને અન્ય બે તીર્થંકર ભગવંતના માત્ર મોક્ષકલ્યાણક ગિરનાર ગિરિવર ઉપર થયા હતા.
૬, વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક ગિરનાર ઉપર થયા છે તેમાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક સહસાવન (સહસ્રામ્રવન) માં તથા મોક્ષકલ્યાણક પાંચમી ટુંક ઉપર થયેલ છે.
૭, આવતી ચોવીસીમાં થનારા ૧,શ્રી પદ્મનાભ ૨,શ્રી સુરદેવ ૩, શ્રી સુપાર્શ્વ ૪, શ્રી સ્વંયપ્રભ ૫, શ્રી સર્વાનુભૂતિ૬, શ્રી દેવશ્રુત ૭, શ્રી ઉદય ૮, શ્રી પેઢાલ ૯, શ્રી પોટ્ટીલ ૧૦, શ્રી સત્કીર્તિ ૧૧, શ્રી સુવ્રત ૧૨, શ્રી અમમ ૧૩, શ્રી નિષ્કષાય ૧૪, શ્રી નિષ્કુલાક ૧૫, શ્રી નિર્મમ ૧૬, શ્રી ચિત્રગુપ્ત ૧૭, શ્રી સમાધિ ૧૮, શ્રી સંવર ૧૯, શ્રી યશોધર ૨૦, શ્રી વિજય ૨૧, શ્રી મલ્લિજિન ૨૨, શ્રી દેવ આ બાવીસ તીર્થંકર પરમાત્માના માત્ર મોક્ષકલ્યાણક તથા ૨૩, શ્રી અનંતવીર્ય ૨૪, શ્રી ભદ્રકૃત આ બે તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક ભવિષ્યમાં ગિરનાર મહાતીર્થ ઉપર થશે.
Jain Educ
maary.org