________________
(૬) ‘‘ઉજ્જત સેલિસિહરે દીક્ખા નાણું નિસ્સીહીઆ જસ, તમ્ ધમ્મ ચક્ક વક્રી અરિકનેમિ નમંસામિ’’ અથવા ‘‘ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ’’ ની ૨૦ નવકારવાળી.
(૭) ‘‘શ્રી રૈવતગિરિ મહાતીર્થ આરાધનાર્થે.....’' ૯ લોગસ્સ સંપૂર્ણ નો કાઉસ્સગ્ગ.
(૮) ગિરનાર મહાતીર્થના ૯ ખમાસમણાં.
* ૯૯ યાત્રા દરમ્યાન ૧ વખત મૂળનાયક ઠાઠાની ૧૦૮ પ્રદક્ષિણા / ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ગ / આખા ગિરનાર ગીરીવરની પ્રદક્ષિણા (લગભગ ૨૮ કી.મી.)
* ૧ યાત્રા પાંચમી ટૂંક(મોક્ષકલ્યાણક) ૯ વાર પહેલીટૂંકના દરેક દેરાસરના દર્શન
* ૧વાર ચોવિહાર છઠ્ઠું કરીને સાત યાત્રા.
* યાત્રા દરમ્યાન એકવખત ગજપદકુંડના જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરવી.
ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કેવી રીતે કરશો ?
ગિરનારની ૯૯ યાત્રાથી આપ ગભરાય ગયા ? તેમાં ગભરાવાની કોઇ જરૂર નથી – હકીકતમાં શત્રુંજયની ૯૯ યાત્રા
-
કરતાં તો ગિરનારની ૯૯ યાત્રા સાવ સરળ છે.
હા! હા !! તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી.
*
શત્રુંજયની પ્રથમ યાત્રા લગભગ ૩૬૦૦ પગથિયા થાય, ગિરનારની પહેલી યાત્રા લગભગ ૩૮૪૦ પગથિયા
થાય
★
શત્રુંજયમાં બીજી યાત્રા માટે ઘેટીપાગના ૨૮૦૦ પગથિયા ઉતરવાના થાય જ્યારે ગિરનારમાં બીજી યાત્રા માટે ૧૦૦૦ પગથિયાના ડીસ્કાઉન્ટ સાથે સહસાવન સુધીના માત્ર ૧૮૦૦ પગથિયા ઉતરવાના થાય.
⭑
શત્રુંજયની ત્રણ યાત્રા માં જેટલા પગથિયા થાય તેનાથી ઓછા પગથિયામાં ગિરનારની તો ચાર યાત્રા થઇ જાય એટલે ! ગિરનારની ૯૯ યાત્રા ખૂબજ અઘરી છે તેવો જરાપણ ભય ન રાખશો.
કોઇપણ ડર રાખ્યા વગર ગિરનારની આ ૯૯ યાત્રાની અમૂલ્ય તક ચૂકશો નહીં.
Jain Education Inter
www.jainelibrary.org